આ મંદિર નાવલી નદીના અવતરણ સમયનું માનવામાં આવે છે
ખૂબ ઉમંગ ઉત્સાહ અને ભાવપૂર્ણ વાતાવરણમાં આઈ ખોડિયારમાંની આરાધના પૂજા અર્ચના અને હોમ હવન કરવામા આવેલ.
જીવનમાં સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ માટે માતાજીનું પૂજન અર્ચન પૂર્ણ આસ્થા અને ઉત્સાહ સાથે કરવું જોઈએ
સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે આઈ ખોડિયાર માતાના પ્રાગટય મહોત્સવના આ પાવન પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ

સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ નાવલી નદી કાંઠે ખાતે આઈ શ્રી ખોડીયાર પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં નાના બાળકો તેમજ ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સેવા કાર્યમાં માતાજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી, જેમાં ભાવિકોએ ભક્તિભાવથી માતાજીની આરાધના કરી હતી.
ત્યારબાદ ખોડીયાર માતાજીનો હવન કરવામાં કરવામાં આવેલ. હવન બાદ બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ બાળકોએ સાથે મળીને પ્રસાદ લીધો હતો. તેમજ ખોડીયાર માતાજીના ગુણગાન ગવાતાં ભક્તિમય વાતાવરણ રચાયું. આ પ્રસંગે વાતાવરણમાં અનેરી દિવ્ય આધ્યાત્મિકતાની અનુભૂતિ થતી જોવા મળેલ. અને ખાસ વાત કરીએ તો આ મંદિર નાવલી નદીના અવતરણ પ્રસંગનું માનવામાં આવે છે. આમ આ મંદિર ઘણું જૂનું છે.. આ મંદિરે આવતાં ખોડીયાર માતાજી ભાવિકો માતાજીના દર્શન કરીને અતૂટ શ્રદ્ધા સાથે ધન્યતા અનુભવતાં જોવા મળે છે.

ખોડિયાર માતાજીએ ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે અને ભકતોની મનોકામનાઓ પૂર્ણ કરી છે. ખોડિયાર માતાજીની ભક્તિ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. જે લોકો સાચા દિલથી ખોડિયાર માતાજીની ભક્તિ કરે છે, તેઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ આ પ્રસંગે આઈ શ્રી ખોડીયાર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં સૌ ભાવિકોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધેલ
બિપીન પાંધી સાવરકુંડલા

