Gujarat

મેંદરડા વિકલાંગો ની સંસ્થા માં જુનાગઢ ના જાણીતા પત્રકાર ભાવિન દવે ના પરિવારે મુલાકાત લઈ બાળકોને ભોજન પ્રસાદ કરાવ્યા.

મેંદરડા વિકલાંગો ની સંસ્થા માં જુનાગઢ ના જાણીતા પત્રકાર ભાવિન દવે ના પરિવારે મુલાકાત લઈ બાળકોને ભોજન પ્રસાદ કરાવ્યા.

જુનાગઢ ના મેંદરડા ખાતે આવેલ વિકલાંગો ની સંસ્થા માં જુનાગઢ ના જાણીતા પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે ના પરિવારે મુલાકાત લઈ બાળકોને ભોજન પ્રસાદ કરાવ્યા.મેંદરડા સ્થિત શ્રીજી ચેરીટેબલ ટ્રસ્ટ માં અતિ ગંભીર વિકલાંગ બાળકો ની સાર સંભાળ લેવામાં આવે છે.અહીં નિવાસ કરતા બાળકો માટે આજ રવિવાર ના રોજ લોક-નિર્માણ ન્યુઝ ના મેનેજિંગ તંત્રી ભાવિન કિશોરભાઈ દવે , તેમના બે વર્ષ ના પુત્ર વેદ ભાવિન દવે અને પરિવાર ના સભ્યો એ ખુશી થી અહીં વસતા બાળકો સાથે સમય કાઢી એકલતા અનુભવતા બાળકો ને પણ લાગણી ની હુફ મળે તે રીતે આવી બાળકો માટે ઘરે થી બનાવેલ ભોજન બાળકો માટે લઈ આવ્યા હતા. આ કાર્ય નો મુખ્ય હેતુ એ હતો કે હાલ લોકો પોતાના રોજિંદા જીવન માં ખૂબ વ્યસ્ત હોઈ છે ત્યારે તેમાંથી થોડો સમય પોતાના પરિવાર સાથે જો આ બાળકો ની મુલાકાત લે તો વિકલાંગ બાળકો માં પણ એક નવી ઉર્જા જોવા મળે અને પરિવાર ના બાળકો માં પણ આવા બાળકો ની નિસ્વાર્થ ભાવે મદદ કરવા પ્રેરણા મળે અને એક સારી ભાવના બની રહે. આ તકે પોતાનું જીવન આ બાળકોને સમર્પિત કરેલ એવા સંસ્થા ના સંચાલક કૈશિકભાઈ જોષી એ પણ આવો ભાવ સમાજ માં વધુ ને વધુ લોકો માં પ્રગટ થાય અને આ માધ્યમ થી લોકો આવી રીતે બાળકો પાસે આવી સમય કાઢે તેવું જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250608-WA0096-1.jpg IMG-20250608-WA0098-2.jpg IMG-20250608-WA0097-0.jpg