કેનેડા દેશનાં ટોરોન્ટો માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
કેનેડા દેશનાં ટોરોન્ટો માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
કેનેડા દેશનાં ટોરોન્ટો માં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનુ આ બિજુ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર તૈયાર થયું છે કેનેડા દેશમાં પ્રથમ મંદિર કેલગરી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.કેનેડા માં વસતા સનાતન ધર્મનાં યુવાનો અને ભક્તોનાં પરીવારમાં સત્સંગ અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવા હેતુથી બિજુ મંદિર ટોરોન્ટો ખાતે વડતાલ ગાદીના પ.પુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ના આશીર્વાદ થી
પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા બાળ લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ્ હસ્તે વેદોક્ત વિધિ સાથે શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર ટોરોન્ટો (વડતાલ ધામ)નો સુંદર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૦૮/૦૬/૨૫ રોજ ઉજવવામાં આવ્યો હતો જેમાં ઠાકોરજી અને ધર્મકુળની શોભાયાત્રા સહિતની વિધી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર ભુદેવાના સાનિધ્યમાં કરવામાં આવી હતી આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ કથા નું આયોજન તા.૦૪/૦૬/૨૫ થી તારીખ.૦૮/૦૬/૨૫ સુધી કરવામાં આવ્યું હતું જેમા વક્તા પદે ગઢપુરનાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજીએ કથાનું રસપાન કરાવ્યું હતું.આ પ્રસંગે કેનેડા જેવા દેશમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.સાથે પ.પુ.અ.સૌ. વહુજીમહારાજ તથા શ્રી લાલીરાજા શ્રી પધારી બહેનો નેં સત્સંગનો લાભ આપ્યો હતો.આ પ્રસંગે કેનેડા ઓન્ટારીયોના પ્રાંતિય સંસદના સભ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રીનાં સંસદીય સહાયક એવાં શ્રી અમરજોત સંધુ અને શ્રી સંજીવ સકલાની – (કોન્સ્યુલ ચાન્સરીના વડા (કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, ટોરોન્ટો)પણ ઉપસ્થિત રહ્યા હતા.ટોરોન્ટો નૃતન મંદિર ખાતે મહોત્સવ માણવા પધારતા ભક્તો માટે મહિલા મંડળ દ્વારા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ વિદેશીયાત્રામાં ગઢપુરથી શ્રી કે.પી.સ્વામી,વડતાલથી સ્વામી સર્વમંગલદાસજી તથા
શ્રીજનમંગલભગત સહિત જોડાયા છે.સાથે અમેરિકાનાં હુસ્ટન શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે તારીખ.૧૬/૦૬/૨૫ થી તારીખ.૨૨/૦૬/૨૫ સુધી શ્રી મદ્ સત્સંગિજીવન કથા અને વરજીનીયા ખાતે તારીખ.૨૪/૦૬/૨૪ થી તારીખ.૨૮/૦૬/૨૫ સુધી સત્સંગ શિબિર યોજવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં બાળકો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે અને સનાતન હિન્દુ સંસ્કૃતિનાં મૂલ્યોને જીવનસાત કરશે.સાથે અમેરિકાનાં સ્ક્રેન્ટન સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૧ મો પાટોત્સવ તારીખ.૦૨/૦૭/૨૫ થી તા.૦૬/૦૭/૨૬ સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા