Gujarat

શિબીરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામતુલ્યવડતાલધામમાં 25 એપ્રિલ થી ચાર દિવસીય સહજાનંદી બાળયુવા શિબીર-9 નો દબદબાભેર પ્રારંભ થયો છે. વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સાથે શિબીરનો દીપ પ્રાગટ્ય વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી, સાળંગપુરના હરિપ્રકાશ સ્વામી, નારાયણસ્વામી,બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, શુકદેવસ્વામી (નાર), વલ્લભસ્વામી, પાર્ષદવિત્થલભગત, ગુણસાગર સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસ સ્વામીએ ઉપસ્થિત શિબીરાર્થીઓને આર્શીવચન પાઠવતાં જણાવ્યું હતું કે આપ સૌ પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ લક્ષ્મીનારાયણ દેવની છત્રછાયામાં અને આચાર્ય રાકેશ્પ્રસદી મહારાજના શુભઆર્શીવાદ સાથે સદગુરૂ સંતોના સાનિધ્યમાં વડતાલધામ સહજાનંદીબાળ યુવા શિબીર-9માં પધાર્યા છો, તે તમારા સદભાગ્ય છે કારણ કે આ મંદિર ભગવાન સ્વામિનારાયણે સ્વયં બનાવ્યું છે.

મંદિરના પ્રાંગણમાં આવેલ હરિ મંડપમાં ભગવાન હરિએ સ્વ હસ્તે શિક્ષાપત્રિ લખી હતી. ઉપરાંત અમદાવાદ અને વડતાલ એમ બે દેશ ગાદીની સ્થાપના કરી તે મહત્વની છે. બહુ ભાગ્ય હોય તેને ભગવાન બોલાવે તે વડતાલ આવતા હોય છે.

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલધામ ધ્વારા બાળ યુવા પ્રવૃત્તિનું સૌથી મોટું કામ મેતપુરના ભગવતીભાઈ મુખી પરિવારના યજમાન પદે થઇ રહ્યું છે.ભગવાનનો શોખ હોય તે વડતાલ આવીને ખુશ થતા હોય છે.

વડતાલએ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને ખુબ લાડ લડાવતા તે ભજન પણ કરાવતા અને ભોજન પણ કરાવવાનું અને મોજમાં રહેવાનું શીખવાડતા હતા. આ પ્રસંગે મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીએ જણાવ્યું હતું કે મોટાને સાચવવા સહેલા છે પણ બાળકોને સાચવવા ખુબ અઘરા છે.

આપ બાળકો અહીં ઉત્સાહભેર શિબીરમાં ભાગ લેવા આવ્યા છે ત્યારે આપના માતા-પિતાને પણ આનંદ થાય કે મારો બાળક આધ્યાત્મિકતાના માર્ગે જઈ રહ્યો છે.તે આ લોકમાં સુખી થાય તેવી વાતો શિબિરમાં સંતો ધ્વારા શીખવામાં આવશે.આપ સૌ એકાગ્રતાપૂર્વક સાંભળી મનન કરશો તો આપણે ભવિષ્યમાં ઘણું ઉપયોગી થઇ પડશે. બાળપણમાં સારા સંસ્કાર મેળવ્યા હશે તો જીવનમાં બહુ સુખી થશે.

જયારે નાર ગુરુકુલના શુકદેવપ્રસાદ સ્વામીએ શીબીરાર્થીઓને ચાર સુત્ર દરરોજ સવારે પૂજા કરતા પ્રાર્થના કરતી વખતે એમ જણાવવું કે (1) હે… મહારાજ કાયમ મારી સાથે રહેજો…(2) વડતાલધામ મારૂ અક્ષરધામ છે. (3) વડતાલ ધામના સંતો મારા માતા-પિતા છે. અને (4) વડતાલ ધામના તમામ હરિભક્તો મારા સગાવહાલાં છે. શિબિરમાં ભાગ લઇ રહેલ તમામ બાળકો માટે આ શિબીર જીવનનું સંભારણું બની રહે તેવી હરિકૃષ્ણમહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌ શીબીરાર્થીઓ સત્સંગના ભવિષ્યના સૈનિકો છો.

આ ઉપરાંત સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરના હરિપ્રકાશસ્વામી,તથા ઉજ્જૈન મંદિરના પ્રેમનંદન સ્વામીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું.પ્રથમ દિવસે શીબીરાર્થીઓને ગોમતી કિનારે આવેલ હરિકૃષ્ણ યાંત્રિક ભુવનના ગાર્ડનમાં સૌ શીબીરાર્થીઓને પ્રાત:પૂજા,યોગ,તથા પ્રભાત ફેરી વડતાલના રાજમાર્ગો પર ફરી નિજમંદિર પહોંચી હતી. સમગ્ર શિબીરનું સંચાલન શ્યામવલ્લભસ્વામી તથા નારાયણચરણ સ્વામી (બુધેજ) ધ્વારા કરવામાં આવ્યું હતું. શિબીરમાં હજારો બાળકોએ ભાગ લીધો છે.