National

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત; ૯ લોકોના મોત

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં, થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે રાતે લગભગ ૨:૦૦ વાગ્યે નિર્માણાધીન ઓવર બ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ ૯ લોકોના મોતના અહેવાલ મળ્યાં છે.

આ માર્ગ અકસ્માત અંગે મીડિત=યા સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાશી હતી. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતમાં મૃતકોમાં એક જ પરિવારના ૯ લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું હતું. મૃતકોમાં ૨ પુરુષ, ૩ મહિલાઓ અને ૪ બાળકો સામેલ છે.