આયોજન વિભાગ દ્વારા તમામ વિભાગોને જારી કરાયેલી સૂચનાઓ મુજબ, ઉત્તર પ્રદેશમાં આધાર કાર્ડને જન્મ પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો પુરાવો ગણવામાં આવશે નહીં.
આધાર કાર્ડ સાથે કોઈ જન્મ પ્રમાણપત્ર જાેડાયેલ ન હોવાથી, તેને જન્મ પ્રમાણપત્ર ગણી શકાય નહીં. આયોજન વિભાગના વિશેષ સચિવ અમિત સિંહ બંસલે તમામ વિભાગોને આદેશ જારી કરીને જણાવ્યું હતું કે આધાર કાર્ડ હવે જન્મ પ્રમાણપત્ર તરીકે માન્ય નથી.
આ દરમિયાન, મહારાષ્ટ્રમાં વિલંબિત જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં, જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ પછી ફક્ત આધાર દ્વારા બનાવેલા તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે નકલી જન્મ પ્રમાણપત્રો અને મૃત્યુ પ્રમાણપત્રોનો ગેરકાયદેસર હેતુઓ માટે ઉપયોગ થતો અટકાવવા માટે આ ર્નિણય લીધો છે.
રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુલેએ આધાર કાર્ડનો ઉપયોગ કરીને જારી કરાયેલા તમામ શંકાસ્પદ પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે અત્યાર સુધી આ પ્રમાણપત્રો જારી કરવા માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
મહેસૂલ વિભાગની ૧૬-મુદ્દાની ચકાસણી માર્ગદર્શિકા અનુસાર, જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ માં સુધારા પછી, ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ નાયબ તહસીલદાર દ્વારા જારી કરાયેલા કોઈપણ આદેશો પાછા ખેંચવા આવશ્યક છે. પાછા ખેંચાયેલા આદેશોની ચકાસણી સક્ષમ અધિકારી અથવા જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે.
રાજ્યમાં બાકી રહેલી સ્થગિત અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહીની જરૂર હોવાથી, તમામ સંબંધિત કચેરીઓનું નિરીક્ષણ કરવું આવશ્યક છે, અને જાહેર આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નિયમો અનુસાર કાર્યવાહી કરવી જાેઈએ. ર્જીંઁ નું પાલન ન કરતી અરજીઓ તાત્કાલિક રદ કરવી જાેઈએ, અને સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (ઝ્રઇજી) પોર્ટલ પરની તેમની એન્ટ્રીઓ વિલંબ કર્યા વિના કાઢી નાખવી જાેઈએ.
માર્ગદર્શિકામાં એમ પણ જણાવાયું છે કે કોઈપણ વિષય અથવા કેસ માટે પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારી શકાતું નથી. જાે બાકી રહેલી અરજીઓની સમીક્ષા કરતી વખતે આધાર નંબર અને જન્મ તારીખ વચ્ચે કોઈ વિસંગતતા જાેવા મળે, તો પોલીસ ફરિયાદ દાખલ કરવી આવશ્યક છે.
આ નોટિસમાં અમરાવતી, સિલોદ, અકોલા, સંભાજીનગર શહેર, લાતુર, અંજનાગાંવ સૂરજી, અચલપુર, પુસદ, પરભણી, બીડ, ગેવરાઈ, જાલના, અર્ધપુર અને પરલી સહિત ૧૪ પ્રદેશોને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા અને તમામ સંબંધિત તહસીલદારો અને પોલીસ સ્ટેશનોને આ કેસોની “ગંભીરતાથી તપાસ” કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

