National

સુરતથી દુબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરતથી દુબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ, જેમાં ૧૭૦ થી વધુ મુસાફરો હતા, ગુરુવારે સવારે હવામાં ટેકનિકલ સમસ્યા સર્જાતા તેને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરબસ છ૩૨૦-૨૭૧દ્ગ, જે ફ્લાઇટ ૬ઈ ૧૫૦૭ તરીકે કાર્યરત હતી, જે સવારે ૯.૪૫ વાગ્યે સુરતથી ઉપડી હતી, તેણે સવારે ૧૧.૪૦ વાગ્યે અમદાવાદમાં સાવચેતીપૂર્વક લેન્ડિંગ કર્યું હતું.

લેન્ડિંગને “કટોકટી” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ન હોવાની સ્પષ્ટતા કરતા, એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હવામાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે, સુરત-દુબઈ ઈન્ડિગો ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. તે ઇમરજન્સી લેન્ડિંગ નહોતું.”

ઈન્ડિગોએ મુસાફરો માટે દુબઈની મુસાફરી ચાલુ રાખવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી હતી.

ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સુરતથી દુબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટ ૬ઈ ૧૫૦૭, ટેકનિકલ ખામીને કારણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાવચેતીપૂર્વક ઉતરાણ કરવામાં આવ્યું હતું. વિમાન ફરીથી કાર્યરત થાય તે પહેલાં જરૂરી જાળવણી તપાસ હેઠળ છે, પરંતુ મુસાફરી પૂર્ણ કરવા માટે તાત્કાલિક વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.”

જે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી તે હાલમાં જીફઁૈં એરપોર્ટ પર એન્જિનિયરો દ્વારા જાળવણી તપાસ હેઠળ છે.