કોંગ્રેસના દિલ્હી સ્થિત નવા મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ જાેર પકડી રહ્યો છે. તેમના નિવેદન સામે ભાજપ તેમને ચારે બાજુથી ઘેરી રહી છે. હવે શનિવારે (૧૮ જાન્યુઆરી) તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
આ એફઆઈઆર આસામની રાજધાની ગુવાહાટીમાં નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં રાહુલ ગાંધી પર ગંભીર કલમો લગાવવામાં આવી છે જે બિનજામીનપાત્ર છે. મોનજીત ચેટિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડિતતા માટે ખતરો છે.
ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી પર ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૧૫૨ અને ૧૯૭ (૧) લગાવવામાં આવી છે, જે દેશની એકતા અને અખંડિતતાને જાેખમમાં મુકવા જેવા પગલાઓ પર લગાવવામાં આવી છે. આ કલમો બિનજામીનપાત્ર છે.
કોંગ્રેસ હેડક્વાર્ટરના ઉદ્ઘાટન દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસના વડા મોહન ભાગવત પર સીધો નિશાન સાધ્યું હતું. એક કાર્યક્રમમાં મોહન ભાગવતનું નિવેદન, ‘અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને ભારતની વાસ્તવિક આઝાદી તરીકે ઉજવવી જાેઈએ.’ પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ નિવેદન દર્શાવે છે કે ભાજપ અને આરએસએસ દેશની આઝાદી અને બંધારણ વિશે શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ લોકોને ભારતના બંધારણમાં વિશ્વાસ નથી.
આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે ઇજીજી અને મ્ત્નઁ એક પછી એક તમામ સંસ્થાઓ પર કબજાે કરી રહ્યા છે અને હવે અમે મ્ત્નઁ અને ઇજીજી સાથે સાથે ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ. રાહુલના આ નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશને તોડવાનું અને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર ચર્ચામાં રાહુલ ગાંધીના આ નિવેદનની ભાજપ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.

