મુંબઈના પવઈમાં એક્ટિંગ ઓડિશન માટે ૨૦ બાળકો ગયા હતા, બંધક બનાવી દેવામાં આવ્યા
ગુરુવારે મુંબઈના પવઈ વિસ્તારમાં બંધક બનાવ્યા બાદ ઓછામાં ઓછા ૨૦ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ સ્થાનિક એક્ટિંગ સ્ટુડિયોમાં ધોળા દિવસે બાળકોને બંધક બનાવ્યા બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો, જેના કારણે પોલીસે ભારે કાર્યવાહી હાથ ધરી હતી.
પવઈ પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર જીવન સોનાવણેએ જણાવ્યું હતું કે સ્ટુડિયોની અંદર વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા બાદ માનસિક રીતે વિકલાંગ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન દીપક કેસરકર સાથે વિભાગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા કેટલાક મુદ્દાઓ પર વાત કરવા માંગતો હતો.
મીડિયા સૂત્રો દ્વારા અહેવાલ મુજબ, પવઈમાં એલ એન્ડ ટી બિલ્ડિંગ નજીક આરએ સ્ટુડિયોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી સૂચવે છે કે ૧૫ વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓ સહિત બાળકોને “ઓડિશન” માટે સ્થળ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણે જણાવ્યું હતું કે સ્ટુડિયોની અંદર લગભગ ૨૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે શંકાસ્પદ વ્યક્તિ માનસિક રીતે બીમાર લાગે છે અને તેની પાસે બંદૂક જેવું દેખાતું હથિયાર હતું.
મુંબઈ ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર અભિજીત સોનાવણેએ જણાવ્યું હતું કે, બપોરે ૩ વાગ્યાની આસપાસ પોલીસનો ફોન આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “અમે અમારા હાઇડ્રોલિક ટૂલ્સથી ગ્રીલ કાપીને પોલીસ માટે પ્રવેશ કર્યો. તેઓ અંદર પ્રવેશ્યા અને હવે બધાને બચાવી લેવામાં આવ્યા છે.”
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે યોગ્ય ચકાસણી પછી વધુ વિગતો શેર કરવામાં આવશે.
મુંબઈ પોલીસે સમાચાર એજન્સી છદ્ગૈં ને જણાવ્યું હતું કે “રોહિત આર્ય તરીકે ઓળખાતા એક વ્યક્તિએ મુંબઈના પવઈ વિસ્તારમાં કેટલાક બાળકોને બંધક બનાવ્યા છે.”
તેઓએ ઉમેર્યું હતું કે આર્યએ એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં તેણે કથિત રીતે દાવો કર્યો હતો કે તે ચોક્કસ લોકો સાથે વાત કરવા માંગે છે અને જાે તેની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો “બધું આગ લગાવી દેશે અને પોતાને અને બાળકોને નુકસાન પહોંચાડશે” તેવી ધમકી આપી હતી.

