National

પંજાબમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, ૪ કામદારોના મોત, અનેક ઘાયલ

શુક્રવારે પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં એક ગામ નજીક ફટાકડા ઉત્પાદન અને પેકેજિંગ યુનિટમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર સ્થળાંતર કામદારોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

શ્રી મુક્તસર સાહિબના એસએસપી અખિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, “…વિસ્ફોટ બાદ ઇમારત ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા. બચાવ કામગીરી ચાલુ છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે…”

લાંબીના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) જસપાલ સિંહે જણાવ્યું હતું કે, “ગઈકાલે મોડી રાત્રે, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો… ફેક્ટરીમાં લગભગ ૫૦ મજૂરો કામ કરે છે… ચાર મૃતદેહ મળી આવ્યા છે અને ૨૭ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

લાંબીના નાયબ પોલીસ અધિક્ષક જસપાલ સિંહે ફોન પર જણાવ્યું હતું કે, શ્રી મુક્તસર સાહિબમાં સિંઘાવલી-કોટલી રોડ પર સ્થિત બે માળની ફેક્ટરી યુનિટમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જાેકે, વિસ્ફોટનું કારણ તપાસ હેઠળ છે, ડીએસપીએ જણાવ્યું હતું.