મુખ્યમંત્રી હેમંત સોરેન ની સરકાર દ્વારા લેવામાં આવ્યો ઐતિહાસિક ર્નિણય
ઝારખંડમાં રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં, ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના તમામ બજારોમાં ઉપલબ્ધ કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રવૃત્તિઓ પર એક વર્ષ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઈરફાન અંસારીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી, પરંતુ ઝારખંડના યુવાનોને ડ્રગ્સની ચુંગાલમાંથી બચાવવા માટે એક ક્રાંતિકારી પહેલ છે. “સ્વાસ્થ્ય સાથે રમત કોઈ પણ ભોગે સહન કરવામાં આવશે નહીં. ગુટખા અને પાન મસાલાને કારણે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. આપણા યુવાનો ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે, અને હું મારી નજર સામે તેમને મરતા જાેઈ શકતો નથી. એક ડૉક્ટર હોવાને કારણે, હું જાણું છું કે આ ઝેર શરીરને કેટલી હદે બરબાદ કરી શકે છે. જ્યારે આરોગ્ય મંત્રીએ જીંદગી બચાવવા માટે સૌપ્રથમ પહેલ કરી છે.”
તેમજ રાજ્યના આરોગ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી કે, ગુટખાના વેચાણ, સંગ્રહ કે સેવન સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ નજર રાખવામાં આવશે. જાે કોઈપણ દુકાન, વેરહાઉસ કે વ્યક્તિમાંથી ગુટખા મળી આવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં, ગોદામને સીલ પણ કરવામાં આવશે. આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચના આપવામાં આવી છે.
ડો. અન્સારીએ કહ્યું, “માતાઓ અને બહેનો મને સતત વિનંતી કરતી હતી કે તેમના બાળકો અને ભાઈઓ ડ્રગ્સનો શિકાર બનીને તેમનું જીવન બરબાદ કરી રહ્યાં છે. મેં તેમની પીડાને સમજીને આ નક્કર ર્નિણય લીધો. આ માત્ર પ્રતિબંધ નથી, પરંતુ તે પરિવારોને સાચી શ્રદ્ધાંજલિ છે જેમણે કેન્સરને કારણે પોતાના બાળકો ગુમાવ્યા.”
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ ર્નિણય સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ બનશે. તેમણે અધિકારીઓ અને સામાન્ય જનતાને અપીલ કરી કે તેઓ આ ર્નિણયને પડકાર તરીકે લે અને ઝારખંડને ગુટખા મુક્ત બનાવવામાં સહકાર આપે. તેમણે કહ્યું, “અમે એક ટ્રેન્ડ સેટ કરવા માંગીએ છીએ જેને અન્ય રાજ્યોએ પણ અનુસરવું જાેઈએ અને આ અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવે.”
વધુમાં મંત્રીએ તેમ પણ કહ્યું કે, જનતાએ જ્યારે એક ડોક્ટરને આરોગ્ય મંત્રી તરીકે ચૂંટ્યા છે ત્યારે તેઓ આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમણે કહ્યું, “જ્યાં સુધી ઝારખંડની આરોગ્ય સુવિધાઓ સુધરશે નહીં, જ્યાં સુધી અહીંના લોકો સ્વસ્થ નહીં થાય, ત્યાં સુધી હું શાંતિથી આરામ કરીશ નહીં.”
આ અંગે અધિક મુખ્ય સચિવ કમ રાજ્ય ખાદ્ય સુરક્ષા કમિશનર અજય કુમાર સિંહે એક આદેશ જાહેર કર્યો છે.જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી ગુટખા અને પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ સાથે ઝારખંડમાં ગુટખાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સૂચના અનુસાર, તમાકુ અથવા ગુટખા અને નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવશે.

