હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ફરવા ગયેલી ગુજરાતની એક ૧૯ વર્ષીય યુવતી પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. ગુજરાતની મહિલા પ્રવાસી અને પેરાગ્લાઈડિંગ પાઈલટ બંને ટેક ઓફ પોઈન્ટ પરથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલા પ્રવાસીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રવાસીનું મોત થઈ ગયું હતું.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ ગુજરાતના અમદાવાદની એક યુવતી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પ્રવાસે પહોંચી હતી. આ સમય દરમિયાન, ધર્મશાળાના ઈન્દ્રુ નાગમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે, પેરાગ્લાઈડિંગ પાઈલટ સાથે એક મહિલા ટેક ઓફ પોઈન્ટ પરથી પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જાેકે, પેરાગ્લાઈડિંગ પાઈલટનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટને સામાન્ય ઈજા થઈ છે. તે જ સમયે, ગંભીર રીતે ઘાયલ યુવતીને પ્રવાસીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ મહિલાનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. આ ઘટના શનિવારે સાંજે ૫.૪૫ કલાકે બની હતી. આ ઘટના બાબતે જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા પ્રવાસી તેના પરિવાર સાથે ધર્મશાળા ફરવા આવી હતી.
મૃતક મહિલા પ્રવાસીની ઓળખ અમદાવાદની ભાવસાર ખુશી તરીકે થઈ છે. જેની ઉંમર ૧૯ વર્ષ હોવાનું કહેવાય છે. યુવતી સહજાનંદ એવન્યુ, ટોરેન્ટ પાવર લિમિટેડ નારણપુરા, જિલ્લો અમદાવાદ, ગુજરાતની રહેવાસી હતી. આ દરમિયાન પેરાગ્લાઈડિંગ પાઈલટ મુનીશ કુમાર (૨૯ વર્ષ) અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. પાયલોટ ધર્મશાલાનો રહેવાસી હોવાનું કહેવાય છે. પાયલોટને ડો. રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ, ટાંડામાં ખસેડવામાં આવ્યો છે.
ધર્મશાલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મહિલાનું પોસ્ટમોર્ટમ ધર્મશાળામાં કરવામાં આવી રહ્યું છે. જે બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
છજીઁ જિલ્લા કાંગડા વીર બહાદુરે જણાવ્યું કે ધર્મશાલામાં ઈન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઈટ પર અકસ્માત થયો છે. જેમાં પેરાગ્લાઈડિંગ પાઈલટ અને એક યુવતી ટેક ઓફ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા અને બંને ખાઈમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં ૧૯ વર્ષની યુવતીનું મોત થયું હતું. મૃતદેહને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળામાં લાવવામાં આવ્યો છે, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ રવિવારે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. પાયલોટ સુરક્ષિત છે. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી છે. અકસ્માતનું કારણ શું હતું જેની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

