પ્રયાગ કુંભ મેળામાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ ૬,૫૦૦ પત્રો સાથે ઉડયું હતું વિમાન, શરૂ થઈ હતી દુનિયાની પહેલી હવાઈ ડાક સેવા
સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ હતી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ઐતિહાસિક ઘટના ૧૧૪ વર્ષ પહેલાં ૧૮ ફેબ્રુઆરી, ૧૯૧૧ના રોજ પ્રયાગરાજમાં બની હતી. યોગાનુયોગ એ વર્ષે કુંભ મેળાનું પણ આયોજન થયું હતું. તે દિવસે ફ્રેન્ચ પાઇલટ મોન્સિયર હેનરી પિકેટે નવો ઇતિહાસ રચ્યો હતો. તેઓ પોતાની સાથે ૬,૫૦૦ પત્રો લઈને પ્રયાગરાજથી નૈની સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. વિમાન હેવિલેન્ડ એરક્રાફ્ટ હતું અને તેણે વિશ્વની પ્રથમ સરકારી ડાક વહન કરવાના નવા યુગની શરૂઆત કરી હતી.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા મુજબ, તે દિવસે ડાક ની ઉડાન જાેવા માટે લગભગ એક લાખ લોકો પ્રયાગરાજમાં એકઠા થયા હતા જ્યારે સાંજે ૫.૩૦ વાગ્યે એક વિશેષ વિમાને યમુના નદીના કિનારેથી ઉડાન ભરી અને નદી પાર કરીને ૧૫ કિલોમીટરનું અંતર કાપ્યું અને પ્રયાગરાજની બહારની સેન્ટ્રલ જેલની નજીક આવેલા નૈની જંકશન પાસે ઉતર્યું. કાર્યક્રમનું સ્થળ એક કૃષિ અને વેપાર મેળો હતું જે નદીના કિનારે યોજાયો હતો અને તેનું નામ ‘યુપી પ્રદર્શન’ હતું. આ પ્રદર્શનમાં બે ફ્લાઈંગ મશીન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કેટલાક બ્રિટિશ અધિકારીઓ દ્વારા આ વિમાનની આયાત કરવામાં આવી હતી. તેના જુદા જુદા ભાગો હતા જે સામાન્ય લોકોની હાજરીમાં પ્રદર્શન સ્થળ પર ભેગાં કરવામાં આવ્યા હતા. ૧૧૪ વર્ષ પહેલા પ્રયાગરાજથી નૈની જંકશન સુધીની હવાઈ સફર માત્ર ૧૩ મિનિટમાં પૂર્ણ થઈ હતી.
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ફ્લાઈટની ઉડાન માત્ર છ માઈલની હોવા છતાં આ ઘટનાને લઈને પ્રયાગરાજમાં ઐતિહાસિક ઉજવણીનો માહોલ હતો. બ્રિટિશ અને કોલોનિયલ વિમાન કંપનીએ જાન્યુઆરી ૧૯૧૧માં તેનું એક વિમાન પ્રદર્શન માટે ભારતમાં મોકલ્યું હતું, જે સંયોગથી પ્રયાગરાજ પહોંચ્યું ત્યારે કુંભ મેળો પણ ચાલી રહ્યો હતો. તે એવો સમય હતો જ્યારે વિમાન જાેવું તો દૂર, બહુ ઓછા લોકોએ તેના વિશે બરાબર સાંભળ્યું હતું. આવી સ્થિતિમાં આ ઐતિહાસિક અવસરે ભારે ભીડ જામે તે સ્વાભાવિક હતું. આ સફરમાં હેનરીએ, ન માત્ર ઈતિહાસ રચ્યો પણ પહેલીવાર આકાશમાંથી દુનિયાનો સૌથી મોટો પ્રયાગ કુંભ પણ જાેયો.
ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, કર્નલ વાય. વિધમે પ્રથમ વખત પોસ્ટલ સત્તાવાળાઓનો સંપર્ક કરીને હવાઈ માર્ગે કેટલીક મેલ બેગ મોકલાવવી હતી, જેને તત્કાલીન ડાક વડાએ ખુશીથી મંજૂરી આપી હતી. મેલ બેગ પર ‘ફર્સ્ટ એર મેઈલ’ અને ‘ઉત્તર પ્રદેશ પ્રદર્શન, અલ્હાબાદ’ લખેલું હતું. તેના પર એક વિમાનની તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. તેના પર પરંપરાગત કાળી શાહીને બદલે મેજેંટા શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયોજકો તેના વજનને લઈને ખૂબ જ ચિંતિત હતા, જેને પ્લેનમાં સરળતાથી લઈ જઈ શકાય છે. દરેક પત્રના વજન પર પણ પ્રતિબંધ હતો અને સાવચેતીપૂર્વક ગણતરી કર્યા પછી માત્ર ૬,૫૦૦ પત્રોને જ લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લેનને તેના ગંતવ્ય સુધી પહોંચવામાં ૧૩ મિનિટનો સમય લાગ્યો હતો.
શ્રી કૃષ્ણ કુમાર યાદવે, જેમણે ભારતમાં ડાક સેવાઓ પર ઘણા લેખો અને પુસ્તક લખ્યા છે, ‘ઇન્ડિયા પોસ્ટઃ ૧૫૦ ગ્લોરિયસ યર્સ’, જણાવ્યું હતું કે આ પ્રથમ એર મેઇલ સેવા માટે વિશેષ ફી છ આના રાખવામાં આવી હતી અને તેમાંથી થતી આવક ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ હોસ્ટેલ, અલ્હાબાદને દાનમાં આપવામાં આવી હતી. આ સેવા માટે અગાઉથી પત્રોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે પત્રોનું બુકિંગ ૧૮મી ફેબ્રુઆરીના રોજ બપોર સુધી કરવામાં આવ્યું હતું. ઓક્સફર્ડ કેમ્બ્રિજ હોસ્ટેલમાં પત્ર બુકિંગ માટે એટલી ભીડ હતી કે તેની હાલત નાની જીપીઓ જેવી થઈ ગઈ હતી. પોસ્ટલ વિભાગે પણ અહીં ત્રણ-ચાર કર્મચારીઓને તૈનાત કર્યા હતા. થોડા જ દિવસોમાં હવાઈ સેવા માટેના ૩,૦૦૦ પત્રો હોસ્ટેલમાં પહોંચી ગયા. એક પત્રની સાથે ૨૫ રૂપિયાની ટપાલ ટિકિટ જાેડાયેલી હતી. પત્રો મોકલનારાઓમાં પ્રયાગરાજની ઘણી પ્રખ્યાત હસ્તીઓ હતી, રાજાઓ અને રાજકુમારો પણ હતા.
આજે વિશ્વભરમાં સંદેશાવ્યવહારના ઘણા માધ્યમો છે, પરંતુ પત્રોની જીવંતતાનું પોતાનું અલગ સ્થાન છે. આ પત્રો તેમના સમયના જીવંત દસ્તાવેજાે છે. આમાંથી કેટલાક પત્રો સાહિત્યના પાનામાં રૂપાંતરિત થયા. આજે, વિમાન દ્વારા દેશ અને વિશ્વમાં ડાક પહોંચી રહી છે, પરંતુ તેનો ઇતિહાસ કુંભ અને પ્રયાગરાજ સાથે અતૂટ રીતે જાેડાયેલો છે. આ પત્રો એવા સમયે વૈશ્વિકરણની વિભાવનાને વ્યાખ્યાયિત કરે છે જ્યારે વિદેશ જવું પણ એક દુઃસ્વપ્ન હતું. હવાઈ મેલ સેવાએ માત્ર પત્રોને જ પાંખો નથી આપી પરંતુ લોકોના સપનાઓને ઉડાન પણ આપી છે. ભારત અને વિદેશ વચ્ચે બનેલી વિવિધ ઐતિહાસિક ઘટનાઓ સાથે જાેડાયેલી માહિતી અને પાસાઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં હવાઈ મેઈલ સેવાનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.