National

જમ્મુ-કાશ્મીર, લદાખ હાઈકોર્ટે માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા યાત્રાળુઓ અને અન્ય લોકોને મોટી રાહત આપી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટોલ ટેક્સમાં ૮૦ ટકાનો ઘટાડો કરવા માટેનો હાઇકોર્ટનો નિર્દેશ

માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા યાત્રાળુઓ અને અન્ય લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે જેમાં, જમ્મુ-કાશ્મીર, લદાખ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટોલ ટેક્સમાં ૮૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.

નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકોને ટોલ ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. તાજેતરમાં જ, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને નિર્દેશ આપ્યો છે કે જાે રસ્તો ક્ષતિગ્રસ્ત થાય છે તો ટોલ ટેક્સ ઘટાડવો પડશે. નેશનલ હાઇવે ૪૪ પર સ્થિત બે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ૮૦ ટકા ઘટાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી રોડ બાંધકામનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાં ઘટાડો ચાલુ રાખવો જાેઈએ.

આ સમગ્ર મામલે સુગંધા સાહનીએ દ્ગૐ-૪૪ પર લખનપુર, થાંડી ખુઈ અને બાન પ્લાઝા ખાતે ટોલ વસૂલાતમાં મુક્તિ મેળવવા માટે ઁૈંન્ દાખલ કરી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે ડિસેમ્બર ૨૦૨૧ થી હાઇવેનો ૬૦ થી ૭૦ ટકા બાંધકામ હેઠળ હોવા છતાં, નિયમોનું ઉલ્લંઘન કરીને ટોલ ટેક્સ વસૂલાત ચાલુ છે.

જાે કે, હાઈકોર્ટના આ નવા ર્નિણયથી માતા વૈષ્ણોદેવી મંદિર જતા યાત્રાળુઓ અને અન્ય મુસાફરોને મોટી રાહત મળશે, કોર્ટના આ ર્નિણયથી દરરોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પરથી પસાર થતા લાખો લોકોને ફાયદો થશે.

ચીફ જસ્ટિસ તાશી રબસ્તાન અને જસ્ટિસ એમએ ચૌધરીની બેન્ચે એક પીઆઈએલની સુનાવણી કરતી વખતે, દ્ગૐછૈં ને લખનપુર અને બાન ટોલ પ્લાઝા પર લોકો પાસેથી માત્ર ૨૦ ટકા ટોલ વસૂલવાનો આદેશ આપ્યો છે. આ સૂચના તાત્કાલિક અમલમાં છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તાના બાંધકામનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. એટલું જ નહીં, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર ૬૦ કિલોમીટરની અંદર કોઈપણ ટોલ પ્લાઝા સ્થાપિત ન કરવાનો નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે મહિનાની અંદર આવા ટોલ પ્લાઝા દૂર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.