ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભથી પરત ફરતા સમયે ઝારખંડ મુક્તિ મોરચાના રાજ્યસભા સાંસદ મહુઆ માંઝીને બુધવારે સવારે લગભગ ૪ વાગ્યે નેશનલ હાઈવે-૩૯ પર અકસ્માત નડયો હતો.
અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા મહુઆ માંઝીને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને પ્રાથમિક સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારી સારવાર માટે રાંચી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. મહુઆ માંઝી હિન્દીના મહાન સાહિત્યકારોમાંથી એક છે. તેમજ સમાજ સેવાના ક્ષેત્રમાં જાણીતું નામ છે. તેમને હેમંત સોરેનના પરિવારની નજીક ગણવામાં આવે છે અને લાંબા સમયથી જેએમએમ મહિલા મોરચાના પ્રમુખ છે.

