National

કેરળના મલપ્પુરમમાં એરીકોડ નજીક ફૂટબોલ ગ્રાઉન્ડમાં આતશબાજીના કારણે ૩૦થી વધુ લોકો ઘાયલ

કેરળના મલપ્પુરમમાં એક ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડમાં આતશબાજી દરમિયાન ફટાકડા ફૂટતા ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બાબતે એરિકોડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના એક ફૂટબોલ મેચના ગ્રાઉન્ડ પર બની હતી જ્યાં મેચ શરૂ થતાં પહેલા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફટાકડા ફૂટ્યા અને આખા મેદાનમાં ફેલાઈ ગયા જ્યાં લોકો મેચ જાેવા બેઠા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જાેકે કોઈ ગંભીર ઈજાના અહેવાલ નથી. જાેકે, કોઈની હાલત ગંભીર નથી.

પરિસ્થિતિ કાબૂમાં આવતાં ફાઈનલ મેચ રમાઈ હતી. અહીં ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એરિકોડ પોલીસે જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને વધુ માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

આ ઘટના અંગે સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ફટાકડા દરમિયાન મિસફાયર થવાને કારણે ચાઈનીઝ ફટાકડા દર્શકોના સ્ટેન્ડમાં પડ્યા હતા જેના કારણે વિસ્ફોટના કારણે દર્શકો ઘાયલ થયા હતા.

એરિકોડના થેરાટ્ટમલ ખાતે સાત-એ-સાઇડ ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં યુનાઈટેડ એફસી નેલીકૂટ અને કેએમજી માવૂર વચ્ચે મેચ થવાની હતી. આયોજકોએ મેચની શરૂઆત પહેલા ફટાકડા ફોડવાની વ્યવસ્થા કરી હતી. દરમિયાન ચિનગારી પાસે અચાનક ફટાકડાની પેટી પડી હતી. જેના કારણે ફટાકડામાં આગ લાગી અને તે બેકાબૂ રીતે ફૂટવા લાગ્યા, આ દરમિયાન કેટલાક ફટાકડા દર્શકોની વચ્ચે પડ્યા, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ.