National

મુંબઈના ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ‘ પોલીસ અધિકારી દયા નાયકને ACP પદે બઢતી

એક સમયે ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ‘ તરીકે જાણીતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દયા નાયકને મંગળવારે સહાયક પોલીસ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ગૃહ વિભાગના આદેશથી સિનિયર ઇન્સ્પેક્ટર જીવન ખરાટ, દીપક દળવી અને પાંડુરંગ પવારને પણ એસીપી તરીકે બઢતી આપવામાં આવી હતી. ૧૯૯૫માં મુંબઈ પોલીસમાં જાેડાયેલા અને હાલમાં ક્રાઈમ બ્રાન્ચના બાંદ્રા યુનિટમાં ફરજ બજાવતા નાયક ૧૯૯૦ના દાયકામાં ‘એન્કાઉન્ટર‘માં અનેક ગેંગસ્ટરોને ઠાર મારનારા પોલીસ અધિકારીઓમાંના એક તરીકે ખ્યાતિ પામ્યા હતા.

તેમના પર એક ફિલ્મ પણ બની હતી. ૨૦૦૬માં, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો હતો, પરંતુ બાદમાં તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી.

નાયક મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ACP)માં પણ સેવા આપી હતી અને ૨૦૨૧માં અંબાણી નિવાસસ્થાન સુરક્ષા ડર અને ત્યારબાદ થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના કેસને ઉકેલનાર ટીમનો ભાગ હતા.