કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત શહેરી રહેઠાણોના જમીન સર્વેક્ષણનો પ્રારંભ કરશે
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે ૨૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશો ના ૧૫૨ શહેરી સ્થાનિક સંસ્થાઓ માં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત ભૂમિ સર્વેક્ષણ શહેરી રહેઠાણ નું ઉદ્ઘાટન કરશે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગે આ પાયલોટ કાર્યક્રમ શરૂ કર્યો છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, મધ્યપ્રદેશના મહેસૂલ મંત્રી શ્રી કરણ સિંહ વર્મા, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ, મત્સ્યઉદ્યોગ અને માછીમાર કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના પ્રભારી શ્રી નારાયણ સિંહ પવાર, સાંચીના ધારાસભ્ય શ્રી પ્રભુ રામ ચૌધરી, ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જાેશી અને ભારત સરકાર અને મધ્યપ્રદેશ રાજ્ય સરકારના અન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ડ્રોન ઉડાવવામાં આવશે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે, NAKSHA કાર્યક્રમ પર વિડિયો અને ફ્લાયરનું લોન્ચિંગ, ઉડ્ઢઝ્ર યાત્રાને ગ્રીન સિગ્નલ, ઉડ્ઢઝ્ર વિડિયોનું સ્ક્રીનીંગ અને વોટરશેડ એન્થમ વગાડીને ઉજવણી કરવામાં આવશે.
NAKSHA કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં જમીનના રેકર્ડ બનાવવા અને અપડેટ કરવાનો છે. જેથી જમીન માલિકીના સચોટ અને વિશ્વસનીય દસ્તાવેજીકરણની ખાતરી કરી શકાય. આ પહેલ નાગરિકોને સશક્ત બનાવશે, જીવનની સરળતામાં સુધારો કરશે, શહેરી આયોજન વધારશે અને જમીન સંબંધિત વિવાદો ઘટાડશે. મિલકત રેકોર્ડ વહીવટ માટે ૈં્-આધારિત સિસ્ટમ પારદર્શિતા, કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે અને સતત વિકાસને સમર્થન આપશે.
સર્વે ઓફ ઇન્ડિયા એ NAKSHA કાર્યક્રમ માટે ટેકનિકલ ભાગીદાર છે, જે હવાઈ સર્વેક્ષણ કરવા અને તૃતીય પક્ષ વિક્રેતાઓ દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને ઓર્થોરેક્ટિફાઇડ ઈમેજ પુરી પાડવા માટે જવાબદાર છે. એન્ડ-ટુ-એન્ડ વેબ-ય્ૈંજી પ્લેટફોર્મ મધ્યપ્રદેશ રાજ્ય ઇલેક્ટ્રોનિક વિકાસ નિગમ દ્વારા વિકસાવવામાં આવશે અને સંગ્રહ સુવિધાઓ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીસ ઇન્ક દ્વારા પૂરી પાડવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો ઓર્થોરેક્ટિફાઇડ ઈમેજનો ઉપયોગ કરીને ક્ષેત્ર સર્વેક્ષણ અને ગ્રાઉન્ડ ટ્રૂથિંગ કરવાનું સુનિશ્ચિત થયેલ છે, જે આખરે શહેરી અને અર્ધ-શહેરી જમીન રેકર્ડના અંતિમ પ્રકાશન તરફ દોરી જશે.
દ્ગછદ્ભજીૐછ પાયલોટ કાર્યક્રમનો ખર્ચ આશરે ?૧૯૪ કરોડ થવાની ધારણા છે, જે સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

