National

છત્તીસગઢના રજત જયંતિ સમારોહમાં આજે પીએમ મોદી ૧૪,૨૬૦ કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢ રાજ્ય સ્થાપના દિવસ (રાજ્યોત્સવ ૨૦૨૫) ની રજત જયંતિ ઉજવણી દરમિયાન ?૧૪,૨૬૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

૨૦૦૦ માં મધ્યપ્રદેશમાંથી અલગ થયેલ છત્તીસગઢ, શનિવારે તેની રચનાની ૨૫મી વર્ષગાંઠ ઉજવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ મોદી સવારે ૯.૪૦ વાગ્યે રાયપુર પહોંચવાના છે અને નવા રાયપુર અટલ નગરમાં શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલ જવાના છે, જ્યાં તેઓ ગિફ્ટ ઓફ લાઇફ પહેલ હેઠળ જન્મજાત હૃદય રોગોની સારવાર કરાવનારા ૨,૫૦૦ બાળકો સાથે વાતચીત કરશે.

મોદી સવારે ૧૦.૪૫ વાગ્યે બ્રહ્માકુમારીઓના શાંતિ શિખર – આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન માટેનું આધુનિક કેન્દ્ર -નું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ તેઓ નવા રાયપુરમાં નવી બનેલી છત્તીસગઢ વિધાનસભાના પરિસરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરશે અને નવી વિધાનસભા ઇમારતનું ઉદ્ઘાટન કરશે.

નવા વિધાનસભા ભવનમાં એક સભાને સંબોધન કર્યા પછી, તેઓ બપોરે ૧.૩૦ વાગ્યે નવા રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને મુલાકાત લેશે. તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં સંગ્રહાલયના ઓનલાઈન પોર્ટલ અને ઈ-બુક આદિ શૌર્યનું પણ લોકાર્પણ કરશે અને શહીદ વીર નારાયણ સિંહની ઘોડા પર સવાર પ્રતિમાનું અનાવરણ કરશે.

ત્યારબાદ મોદી છત્તીસગઢ રજત મહોત્સવમાં હાજરી આપશે, જે રાજ્યની રચનાના ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાશે, જ્યાં તેઓ રસ્તાઓ, ઉદ્યોગ, આરોગ્યસંભાળ અને ઉર્જા સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ?૧૪,૨૬૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં નવ જિલ્લાઓમાં ૧૨ નવા સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ બ્લોકનો સમાવેશ થાય છે.

પીએમ મોદી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પથલગાંવ-કુંકુરીથી છત્તીસગઢ-ઝારખંડ સરહદ સુધીના ચાર-લેન ગ્રીનફિલ્ડ હાઇવેનો શિલાન્યાસ કરશે, જે ?૩,૧૫૦ કરોડના ખર્ચે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. તેઓ બસ્તર અને નારાયણપુર જિલ્લાઓને જાેડતા દ્ગૐ-૧૩૦ડ્ઢ (નારાયણપુર-કસ્તુરમેટા-કુતુલ-નીલાંગુર-મહારાષ્ટ્ર સરહદ) ના બાંધકામ અને અપગ્રેડેશન માટે શિલાન્યાસ પણ કરશે.

ઉર્જા ક્ષેત્રમાં, મોદી રાયપુર, બિલાસપુર, દુર્ગ, બેમેતારા, ગારિયાબંધ અને બસ્તર સહિતના જિલ્લાઓમાં લગભગ ૪૮૦ કરોડના ખર્ચે બનેલા નવ નવા પાવર સબસ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. તેઓ રાયપુરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા પેટ્રોલિયમ ઓઇલ ડેપોનું પણ ઉદ્ઘાટન કરશે, જે ૪૬૦ કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવ્યું છે, જેમાં પેટ્રોલ, ડીઝલ અને ઇથેનોલ માટે ૫૪,૦૦૦ કિલોલીટરની સંગ્રહ ક્ષમતા છે.

પ્રધાનમંત્રી લગભગ ?૧,૯૫૦ કરોડના ખર્ચે બનેલી ૪૮૯ કિમી લાંબી નાગપુર-ઝારસુગુડા નેચરલ ગેસ પાઇપલાઇનને સમર્પિત કરશે, જે છત્તીસગઢના ૧૧ જિલ્લાઓને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જાેડશે.

તેઓ બે સ્માર્ટ ઔદ્યોગિક વિસ્તારો – એક જાંજગીર-ચંપા જિલ્લામાં સિલાદેહી-ગટવા-બિરા ખાતે અને બીજાે રાજનાંદગાંવ જિલ્લાના બિજલેટલા ખાતે – નો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત, તેઓ સેક્ટર ૨૨, નવા રાયપુર અટલ નગર ખાતે ફાર્માસ્યુટિકલ પાર્ક પણ બનાવશે.

મોદી માનેન્દ્રગઢ, કબીરધામ, જાંજગીર-ચંપા અને ગીદમ (દંતેવાડા) ખાતે પાંચ નવી સરકારી મેડિકલ કોલેજાે તેમજ બિલાસપુરમાં સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કરશે.