પીએમ-આશા યોજના ૨૦૨૫-૨૬ સુધી લંબાવવામાં આવી
આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ મારફતે એમએસપી પર ઉત્પાદનની ખરીદી ચાલુ છે: શ્રી શિવરાજસિંહ ચૌહાણ
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે સતત કામ કરી રહી છે. આ દિશામાં ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઉપજ ખરીદવાનું કામ પણ થઈ રહ્યું છે.
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, કઠોળમાં આર્ત્મનિભરતા એ અમારો સંકલ્પ છે અને આ સંદર્ભમાં તુવેરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં તુવેરની ખરીદી થઈ રહી છે, જેણે વેગ પકડ્યો છે. કઠોળના ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરવા, ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આયાત પરની ર્નિભરતા ઘટાડવા માટે, સરકારે ખરીદી વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજ્યના ઉત્પાદનના ૧૦૦ ટકાના દરે ભાવ સમર્થન યોજના (પીએસએસ) હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરકારે પણ બજેટ ૨૦૨૫માં જાહેરાત કરી હતી કે, દેશમાં કઠોળમાં ર્સ્વનિભરતા હાંસલ કરવા માટે રાજ્યનાં તુવેર (અરહર), અડદ અને મસૂરનાં ઉત્પાદનનો ૧૦૦ ટકા હિસ્સો આગામી ચાર વર્ષ માટે ૨૦૨૮-૨૯ સુધી ખરીદવામાં આવશે. ખરીફ ૨૦૨૪-૨૫ સીઝન દરમિયાન ભાવ સમર્થન યોજના હેઠળ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં તુવેર (અરહર)ની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ખેડૂતોના હિતમાં કર્ણાટકે પણ ખરીદીનો સમયગાળો વધારીને ૧ મે સુધી કરવાની મંજૂરી આપી દીધી છે.
શ્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ મારફતે એમએસપી પર ખરીદી ચાલુ છે તથા ૨૫ માર્ચ, ૨૦૨૫ સુધી આ રાજ્યોમાં કુલ ૨.૪૬ લાખ મેટ્રિક ટન તુવેર (અરહર)ની ખરીદી કરવામાં આવી છે, જેનાથી આ રાજ્યોનાં ૧,૭૧,૫૬૯ ખેડૂતોને લાભ થયો છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં હાલ તુવેરની કિંમત એમએસપીથી ઉપર ચાલી રહી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે, ભારત સરકાર કેન્દ્રીય નોડલ એજન્સીઓ મારફતે ખેડૂતો પાસેથી ૧૦૦ ટકા તુવેરની ખરીદી કરવા માટે પ્રતિબદ્ધ છે. એ જ રીતે આરએમએસ ૨૦૨૫ દરમિયાન ચણા, સરસવ અને મસૂરની દાળની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. પીએમ-આશા યોજનાને ૨૦૨૫-૨૬ સુધી લંબાવવામાં આવી છે. આ અંતર્ગત એમએસપી પર ખેડૂતો પાસેથી દાળ અને તેલીબિયાંની ખરીદી ચાલુ રહેશે. આરએમએસ ૨૦૨૫ માટે ચણાનો કુલ જથ્થો ૨૭.૯૯ લાખ મેટ્રિક ટન અને સરસવ ૨૮.૨૮ લાખ મેટ્રિક ટન છે. મુખ્ય રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.
મસૂરની કુલ મંજૂર થયેલી રકમ ૯.૪૦ લાખ મેટ્રિક ટન છે, જે તમિલનાડુમાં કોપરા (મિલિંગ અને બોલ)ની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડુતો નોંધણી અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે નાફેડ અને એનસીસીએફ પોર્ટલનો ઉપયોગ કરે છે.
શ્રી ચૌહાણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી હું તમામ રાજ્ય સરકારોને અપીલ કરું છું કે એમએસપીથી નીચે કોઈ ખરીદી ન થાય એ સુનિશ્ચિત કરે. અમારો ઉદ્દેશ ખેડૂતોને ફાયદો પહોંચાડવાનો છે અને અમે આ ઉમદા ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.

