National

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારો ૨૦૨૫ રજૂ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૩૦ મે, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નર્સોને વર્ષ ૨૦૨૫ માટે રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારો અર્પણ કર્યા. નર્સોની ઉત્કૃષ્ટ સેવાઓના સન્માન તરીકે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી.