મ્હારાષ્ટ્રમાંથી ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે જેમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસસીપી) ના નેતા રોહિત પવારે નાસિકમાં અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયના બે લોકોની હત્યાને લઈને મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે. તેમાં અજીત પવારની પાર્ટી એનસીપીના ઉપાધ્યક્ષ પણ સામેલ છે.
રાજ્યના નાગપુરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પવારે બુધવારે આરોપ લગાવ્યો કે પોલીસ કમિશનરે વિરોધાભાષી નિવેદન જારી કર્યાં છે, જેનાથી આવા મામલામાં પારદર્શિતાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. તેમણે કહ્યું, ‘કાલે નાસિકમાં થયેલી ઘટનામાં અજીત પવારની પાર્ટીના ઉપાધ્યક્ષ સહિત એસટી સમુદાયના બે લોકોની હત્યા કરી દેવાઈ. અમને સરખા જવાબ આપવામાં આવ્યા નથી. જ્યારે નાગપુરમાં ઘટના થઈ તો પોલીસ કમિશનરે કંઈ બીજું કહ્યું અને નિવેદન કંઈ બીજું આપ્યું.‘
વધુમાં તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તાજેતરની ટિપ્પણીઓ પર પણ કટાક્ષ કર્યો, જેમાં તેમણે મંત્રીઓથી પોતાની ટિપ્પણીઓમાં સંયમ રાખવાનો આગ્રહ કર્યો હતો. રોહિત પવારે કહ્યું, ‘કાલે મુખ્યમંત્રીએ કહ્યું કે મંત્રીઓને આ પ્રકારના નિવેદન આપવાથી પહેલા સંયમ રાખવો જાેઈએ. આવું કહેવાના બદલે સારું રહેશે કે તે રાજીનામુ આપી દે.‘
રોહિત પવારે વધુમાં કહ્યું હતું કે, ‘જ્યારે સીએમ અને ડીસીએમે કાલે એક નિવેદન આપ્યું, જેમાં તેમણે અપ્રત્યક્ષ રીતે સ્વીકાર કર્યો કે આ એક ગુપ્ત નિષ્ફળતા હતી જાે કંઈ પહેલેથી આયોજનબદ્ધ છે અને પોલીસને આ વિશે ખબર નથી તો આ એક ગુપ્ત નિષ્ફળતા છે કે જાે એવું હોય કે તેમની પાસે ગુપ્ત જાણકારી હોવા છતાં તેમણે કાર્યવાહી કરી નથી તો તેનો અર્થ છે કે તેમણે હિંસા થવા દીધી.‘
જાે કોઈ પણ હિંસામાં સામેલ છે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તે કોઈ પણ સમુદાયથી હોઈ શકે છે. નાગપુર પોલીસે શહેરમાં તાજેતરમાં જ થયેલી હિંસાના સંદર્ભે સાત સગીરો સહિત ૫૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે ૧૭ માર્ચે ભડકેલી હિંસક અથડામણ બાદ નાગપુરના દસ પોલીસ જિલ્લા વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ પચાસ લોકોને કસ્ટડીમાં લીધા છે અને કર્ફ્યૂ લાગુ છે.
ડીસીપીએ કહ્યું, ‘સ્થિતિ નિયંત્રણમાં છે. તપાસ ચાલી રહી છે. અમે ૧૦ ટીમો બનાવી છે. અમે અત્યાર સુધી ૫૦ લોકોને કસ્ટડીમાં લીધા છે. આ દરમિયાન ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણી ન્યાયાલય (જેએમએફસી) એ નાગપુર હિંસા મામલે ૧૯ આરોપીઓને ૨૧ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે નાગપુરમાં તાજેતરમાં જ થયેલી હિંસાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ ખૂબ ગંભીર મામલો છે. કદમે કહ્યું, ‘નાગપુરમાં થયેલી ઘટના ખૂબ ગંભીર છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીસીપી સ્તરના અધિકારીઓ અને પોલીસકર્મચારીઓ પર હાથ ઉઠાવવાની હિંમત રાખનારને બિલકુલ પણ સહન કરવામાં આવશે નહીં.‘

