સિવિલ સવિર્સીસ ડે એ ભારતભરના સિવિલ સેવકો માટે નાગરિકોના હિત માટે પોતાને ફરીથી સમપિર્ત કરવાનો અને જાહેર સેવા અને તેમના કાર્યમાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાનો પ્રસંગ છે
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૧૭માં સિવિલ સવિર્સીસ ડે પર દેશના સનદી કર્મચારીઓને સંબોધિત કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચિન્હિત કરાયેલા પ્રાથમિકતા કાર્યક્રમો અને નવીનતાઓના અસરકારક અમલીકરણ માટે જિલ્લાઓ અને કેન્દ્ર/રાજ્ય સરકારોને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમાવિષ્ટ વિકાસ અને નવીનતા પર ઈ-પુસ્તકોનું વિમોચન કરશે, જેમાં ઓળખાયેલ પ્રાથમિકતા કાર્યક્રમો અને નવીનતાઓના અમલીકરણ પર સફળતાની વાર્તાઓ સામેલ હશે. પુરસ્કારો રજૂ કરતા પહેલા પુરસ્કાર વિજેતા પહેલો પરની એક ફિલ્મ પણ દર્શાવવામાં આવશે. આ ૭મો પ્રસંગ હશે જ્યારે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસની ઉજવણીને સંબોધિત કરશે.
સિવિલ સવિર્સીસ ડે એ ભારતભરના સિવિલ સેવકો માટે નાગરિકોના હિત માટે પોતાને ફરીથી સમપિર્ત કરવાની અને જાહેર સેવા અને તેમના કાર્યમાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાની તક છે. ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈ પટેલે મેટકાફ હાઉસ દિલ્હી ખાતે વહીવટી સેવા અધિકારીઓના પ્રોબેશનર્સને સંબોધિત કર્યા હતા તે દિવસની યાદમાં આ તારીખ પસંદ કરવામાં આવી હતી. સિવિલ સવિર્સીસ દિવસ નિમિત્તે, સરકાર નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક દિવસીય સિવિલ સવિર્સીસ ડે કોન્ફરન્સનું આયોજન કરી રહી છે.
જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લાઓ અને સંગઠનો દ્વારા સામાન્ય નાગરિકના કલ્યાણ માટે કરવામાં આવેલા અસાધારણ અને નવીન કાર્યને માન્યતા આપવા માટે શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી પુરસ્કાર યોજના ૨૦૨૪ માટે, સિવિલ સવિર્સીસ ડે ૨૦૨૫ પર આપવામાં આવનાર પુરસ્કારો માટે નીચેના પ્રાથમિકતા કાર્યક્રમો ઓળખવામાં આવ્યા છે: (ટ્ઠ) શ્રેણી ૧ – જિલ્લાઓનો સર્વાંગી વિકાસ (હ્વ) શ્રેણી ૨ – મહત્વાકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ (ષ્ઠ) શ્રેણી ૩ – નવીનતા. વ્યાપક મૂલ્યાંકન પછી, ૧૫૮૮ નામાંકનમાંથી ૧૪ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી પુરસ્કારમાં સામેલ છે: (ૈ) ટ્રોફી, (ૈૈ) સ્ક્રોલ અને (ૈૈૈ) પુરસ્કાર પામેલા જિલ્લા/સંસ્થાને ૨૦ લાખ રૂપિયાની પ્રોત્સાહન રકમ, જેનો ઉપયોગ પ્રોજેક્ટ/કાર્યક્રમના અમલીકરણ માટે અથવા જાહેર કલ્યાણના કોઈપણ ક્ષેત્રમાં સંસાધનોના અંતરને દૂર કરવા માટે કરવામાં આવશે. *પુરસ્કાર સમારોહ પછી “નાગરિક સેવાઓ સુધારા – પડકારો અને તકો” વિષય પર પૂર્ણ સત્ર યોજાશે જેનું અધ્યક્ષપદ કેબિનેટ સચિવ ડૉ. ટી.વી. સોમનાથન સંભાળશે. આ પ્રસંગે શહેરી પરિવહનને મજબૂત બનાવવા, આયુષ્માન ભારત પીએમ – જન આરોગ્ય યોજના અને આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા સ્વસ્થ ભારતને પ્રોત્સાહન આપવા, મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦, એસ્પાયરિંગ બ્લોક કાર્યક્રમ દ્વારા મહિલાઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહન આપવા પર ચાર અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવશે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી શ્રી મનોહર લાલ શહેરી પરિવહનને મજબૂત બનાવવા પરના સત્રની અધ્યક્ષતા કરશે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા અને રસાયણ અને ખાતર મંત્રી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા સ્વસ્થ ભારતને પ્રોત્સાહન આપવા પરના સત્રની અધ્યક્ષતા કરશે. જ્યારે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ દ્વારા મહિલાઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહન આપવાના સત્રની અધ્યક્ષતા કરશે. નીતિ આયોગના સીઈઓ શ્રી બી.વી.આર. સુબ્રમણ્યમ એસ્પાયરિંગ બ્લોક પ્રોગ્રામ પરના સત્રની અધ્યક્ષતા કરશે.
ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ જેમાં સચિવો, અધિક સચિવો, સંયુક્ત સચિવો, નાયબ સચિવો, સહાયક સચિવો અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ જેમાં મુખ્ય સચિવો, અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને કેન્દ્રીય તાલીમ સંસ્થાઓના વડાઓ, નિવાસી કમિશનરો, કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરોનો સમાવેશ થાય છે, જે દિવસભરના આ કાર્યક્રમમાં ભાગ લેશે.

