પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કેન્દ્રએ તમામ ઝ્રછઁહ્લ માટે અનેક કલ્યાણકારી પગલાં લીધાં છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મધ્ય પ્રદેશના નીમચ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ડે પરેડને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ અને સીઆરપીએફના મહાનિદેશક સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાના સંબોધનમાં સીઆરપીએફના ૨,૨૬૪ જવાનોએ દેશની સુરક્ષા માટે આપેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યું હતું અને આભારી રાષ્ટ્ર વતી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં દરેક ક્ષેત્રમાં દુનિયામાં લીડર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે અને સીઆરપીએફનાં શહીદ થયેલા જવાનોનાં બલિદાને આ લક્ષ્યાંક હાંસલ કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શ્રી શાહે કહ્યું હતું કે, સીઆરપીએફનાં શહીદોની બહાદુરીની અમર ગાથા આઝાદીનાં ૧૦૦ વર્ષનાં સુવર્ણગ્રંથમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. તેમણે કહ્યું કે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સીઆરપીએફના જવાનોએ હંમેશાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેથી જ અશાંતિના સ્થળોએ સીઆરપીએફના જવાનોની હાજરીથી વિશ્વાસ વધે છે કે તેઓ ચોક્કસપણે વિજયી બનશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બીજી ટર્મ માટે સરકાર બન્યાં પછી એવો ર્નિણય લેવાયો હતો કે, તમામ સુરક્ષા દળોનો સ્થાપના દિવસ દેશનાં વિવિધ વિસ્તારોમાં ઉજવવામાં આવશે. આ ર્નિણય અંતર્ગત આજે નીમચમાં સીઆરપીએફની આ વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સીઆરપીએફના યોગદાનને દેશની સુરક્ષાથી અલગથી જાેઇ શકાતું નથી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડવાની વાત હોય, પૂર્વોત્તરમાં શાંતિ જાળવવાની વાત હોય કે પછી નક્સલીઓની ગતિવિધિઓને માત્ર ચાર જિલ્લા સુધી સીમિત રાખવાની વાત હોય, આપણા સીઆરપીએફના જવાનોએ આ તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સીઆરપીએફની રચના ૧૯૩૯માં ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસના નામથી કરવામાં આવી હતી. આ ફોર્સને તેનું હાલનું નવું સ્વરૂપ અને ધ્વજ આપવાનું કામ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. તેમણે કહ્યું કે સરદાર પટેલે માત્ર સીઆરપીએફની સ્થાપના કરી અને તેને ધ્વજ આપ્યો એટલું જ નહીં પરંતુ તેના ચાર્ટરને સ્પષ્ટ રીતે ઓળખવાનું કામ પણ કર્યું. સીઆરપીએફે સરદાર પટેલે બતાવેલા માર્ગ પર એક લાંબી ભવ્ય યાત્રા પૂર્ણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ૨૪૮ બટાલિયન, ૪ ઝોનલ હેડક્વાર્ટર્સ, ૨૧ સેક્ટર હેડક્વાર્ટર્સ, ૨ ઓપરેશનલ સેક્ટર હેડક્વાર્ટર્સ, ૧૭ રેન્જ અને ૩૯ એડમિનિસ્ટ્રેટિવ રેન્જમાં દેશની શાંતિ અને સુરક્ષા માટે સીઆરપીએફનાં આશરે ૩ લાખ જવાન તૈનાત છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સીઆરપીએફને માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયામાં સૌથી મોટું અર્ધસૈનિક દળ હોવાનું ગૌરવ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીનાં ૭૬ વર્ષનાં ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો બન્યા છે, જ્યારે સીઆરપીએફે દેશનાં સન્માન અને ગૌરવનું રક્ષણ કર્યું હોય. તેમણે કહ્યું કે ૨૧ ઓક્ટોબર ૧૯૫૯ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગમાં ચીની સેના સામે લડતા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા અને તેથી જ દેશના તમામ પોલીસ દળો દર વર્ષે ૨૧ ઓક્ટોબરને પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવે છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં શહીદ થયેલા પોલીસજવાનો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (સીએપીએફ)ની યાદમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ કરીને હોટ સ્પ્રિંગની શહાદતને ગર્વભેર અમર કરી દીધી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ૧૯૬૫માં કચ્છના રણમાં સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા જેમણે પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો અને એટલે જ દર વર્ષે ૯મી એપ્રિલે આખો દેશ શૌર્ય દિવસની ઉજવણી કરે છે. તેમણે કહ્યું કે ૨૦૦૧માં આપણા લોકતંત્રના પ્રતિક સમાન સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેને સીઆરપીએફે નિષ્ફળ બનાવ્યો હતો. આ જ રીતે ૨૦૦૫માં શ્રી રામ જન્મભૂમિ પર આતંકી હુમલો થયો હતો અને સીઆરપીએફે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને મંદિરને સુરક્ષિત રાખ્યું હતું.
શ્રી શાહે જણાવ્યું હતું કે, પશુપતિનાથથી તિરૂપતિ સુધી લાલ આતંક ફેલાવવાનું સ્વપ્ન જાેનારા નક્સલવાદીઓ આજે ૪ જિલ્લાઓ સુધી મર્યાદિત છે, જેમાં સૌથી મોટું યોગદાન સીઆરપીએફનું છે. તેમણે કહ્યું કે, દેશને નક્સલવાદથી મુક્ત કરવામાં સીઆરપીએફની સૌથી મોટી ભૂમિકા અને યોગદાન હશે. સીઆરપીએફની કોબરા બટાલિયનને આવતી જાેઈને ભયાનક નક્સલવાદીઓ ધ્રૂજી ઉઠે છે. તેમણે કહ્યું હતું કે, કોબ્રા બટાલિયનનાં નેતૃત્વમાં સીઆરપીએફનાં અન્ય જવાનોએ નક્સલવાદને નાબૂદ કરવામાં મોટું યોગદાન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી દેશમાંથી નક્સલવાદને હંમેશા માટે ખતમ કરી દેવામાં આવશે અને આ લક્ષ્ય સીઆરપીએફની તાકાત પર નક્કી કરવામાં આવ્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કલમ ૩૭૦ નાબૂદ થયા પછી કાશ્મીરમાં શાંતિ જાળવવાની વાત હોય કે પછી દરેક ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાની વાત હોય, સીઆરપીએફનાં જવાનોએ દરેક જગ્યાએ ખરા દિલથી પોતાની ફરજ અદા કરી છે. તેમણે કહ્યું કે કલમ ૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને તે સમયે લોકોને અનેક પ્રકારની આશંકાઓ હતી, પરંતુ આપણા સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળોએ સુરક્ષા સુનિશ્ચિત કરી હતી અને ન તો એક બૂથને લૂંટવાના સમાચાર મળ્યા હતા કે ન તો એક પણ ગોળીના ફાયરિંગના સમાચાર મળ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ બહુ મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે સીઆરપીએફે છેલ્લા ૫ વર્ષમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ૪૦૦થી વધુ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ સ્થાપિત કર્યા છે અને તેના કારણે ૧૦ વર્ષમાં નક્સલી હિંસામાં ૭૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સીઆરપીએફના જવાનોએ શ્રીલંકા, હૈતી, કોસોવો અને લાઇબેરિયા સહિત ઘણા સ્થળોએ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનો હેઠળ શાંતિ સ્થાપિત કરવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં સીઆરપીએફને કુલ ૨૭૦૮ જુદા જુદા ચંદ્રકો પ્રાપ્ત થયા છે જે તમામ સીએપીએફમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું હતું કે, અમરનાથ યાત્રા હોય, માતા વૈષ્ણોદેવી યાત્રા હોય, રામજન્મભૂમિની સુરક્ષા હોય, કૃષ્ણ જન્મભૂમિની સુરક્ષા હોય કે પછી મહા કુંભનો પ્રસંગ હોય, સીઆરપીએફના જવાનોએ દરેક જગ્યાએ ત્વરિતતા સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોતાના સંપૂર્ણ પ્રયાસોનું યોગદાન આપ્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સીઆરપીએફએ સ્વચ્છ ભારત, હર ઘર તિરંગા, એક ભારત, શ્રેષ્ઠ ભારત, સ્વચ્છતા હી સેવા, એક પેડ મા કે નામ જેવા અનેક અભિયાનોને સારી રીતે અમલમાં મૂક્યાં છે અને એ પણ સાબિત કર્યું છે કે સીઆરપીએફ દેશ અને સમાજ માટે કામ કરવા માટે હંમેશા સતર્ક મોડમાં હોય છે. તેમણે કહ્યું કે તમામ સીએપીએફ દ્વારા છેલ્લા ૫ વર્ષમાં ૫ કરોડ છોડ રોપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત તેમણે પોતે ગુરુગ્રામના સીઆરપીએફ ગ્રુપ સેન્ટરમાં પ્રથમ રોપાનું વાવેતર કર્યું હતું, સીઆરપીએફ નાંદેડ કેમ્પસમાં એક કરોડમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, ઉત્તર પ્રદેશના સીઆરપીએફ કેમ્પમાં ચાર કરોડમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આજે ૬ કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરીને તમામ સીએપીએફે પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે તમામ સીએપીએફનાં કલ્યાણ માટે કેટલાંક પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે દેશના ૭ અંતરિયાળ વિસ્તારોમાં એર કુરિયર સેવા શરૂ કરવામાં આવી હતી અને તાજેતરમાં ભારત સરકારે પણ પગાર અને ભથ્થામાં સતત સુધારા માટે આઠમા પગાર પંચની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે સીએપીએફનાં કર્મચારીઓ અને તેમનાં પરિવારજનો માટે ૪૨ લાખથી વધારે આયુષ્માન સીએપીએફ કાર્ડ આપવામાં આવ્યાં છે, જે અંતર્ગત અત્યારે હજારો હોસ્પિટલો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, આવાસ યોજના અંતર્ગત આવાસ સંતોષ ગુણોત્તરમાં આશરે ૯.૫ ટકાનો વધારો થયો છે, સીએપીએફ ઇ-હાઉસિંગ વેબ પોર્ટલ શરૂ કરીને ૬.૫ લાખ સીએપીએફ કર્મચારીઓને ખાલી મકાનો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એક લાખથી વધુ મકાનોની ફાળવણી પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે દળોમાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી રહી છે અને તેમના માટે ૧૨૪ બેરેકને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૧૦૯ બનાવવામાં આવી છે અને ગૃહ મંત્રાલયે વધુ ૪૫૦ બેરેક બનાવવાનો ર્નિણય લીધો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજના હેઠળ સીએપીએફ કર્મચારીનાં બાળકોને શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે, કેન્દ્રીય અનુગ્રહ રાશિ સાયન્ટિફિક બનાવવામાં આવી છે, વિકલાંગતાની અનુગ્રહ રાશિમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોર્સને પણ ૧૧૯ માસ્ટર સ્ટોર્સ અને ૧૭૯૪ સબ-સ્ટોર્સ મારફતે વધુ જનલક્ષી બનાવવામાં આવ્યાં છે.

