Entertainment

સગાઈના ૬ મહિના બાદ આકૃતિ અગ્રવાલે ક્રિકેટર પૃથ્વી શો થી અલગ થવાની જાહેરાત કરી

અભિનેત્રી આકૃતિ અગ્રવાલે ક્રિકેટર પૃથ્વી શો સાથેની સગાઈના છ મહિના બાદ અલગ થવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતા કહ્યું કે, “અમારા રસ્તાઓ એકસાથે ચાલવા માટે નથી.” આ જાેડીએ આ વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી.

અભિનેત્રી આકૃતિ અગ્રવાલે ક્રિકેટર પૃથ્વી શોથી અલગ થવાની જાહેરાત કરી

ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આકૃતિએ લખ્યું, “ભારે હૃદય સાથે હું જણાવવા માંગુ છું કે મારા મંગેતર અને મેં ભવિષ્ય માટેના અલગ-અલગ લક્ષ્યો અને સંજાેગોને કારણે અલગ થવાનો ર્નિણય કર્યો છે. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને એકબીજાની પરવા કરીએ છીએ, તેમ છતાં અમે એ સ્વીકારી લીધું છે કે અમારા રસ્તાઓ એકસાથે ચાલવા માટે નથી. અમારી જવાબદારીઓ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો ર્નિણય લીધો છે.”

આ નોંધમાં આગળ લખ્યું છે કે, “હું ખરા દિલથી ઈચ્છું છું કે આપણે બંને આગળ વધીએ ત્યારે આપણને શ્રેષ્ઠ બાબતો, શાંતિ અને ખુશી મળે. હું દરેકને વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતા (પ્રાઈવસી)નું સન્માન કરે અને અમારા ર્નિણય પાછળના કારણો વિશે અટકળો કે ધારણાઓ બાંધવાનું ટાળે. અમારી અંગત જગ્યા (સ્પેસ)ને સમજવા અને તેનું સન્માન કરવા બદલ આભાર.” અહીં જુઓ:

જાેકે, ક્રિકેટર પૃથ્વી શોએ આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.