National

૨૦૨૧ કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસ: દિલ્હી હાઇકોર્ટે સમીર વાનખેડે સામે શિસ્તભંગની કાર્યવાહીને મંજૂરી આપી

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ૨૦૨૧ કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસના સંદર્ભમાં IRS અધિકારી સમીર વાનખેડે સામે શિસ્તભંગની કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
ન્યાયાધીશ અનિલ ક્ષેત્રપાલ અને અમિત મહાજનની બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિ

વ ટ્રિબ્યુનલ ના આદેશ સામે કેન્દ્રની અરજીને મંજૂરી આપી હતી, જેમાં આ મામલે વાનખેડે સામે શિસ્તભંગની કાર્યવાહી રદ કરવામાં આવી હતી.

“આ અરજી મંજૂર છે,” બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું.

ચુકાદાની વિગતવાર નકલની રાહ જાેવાઈ રહી છે.

કેન્દ્ર સરકારે ૧૯ જાન્યુઆરીએ પસાર કરાયેલા ઝ્રછ્ના આદેશને પડકાર્યો હતો, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ વાનખેડેને જારી કરાયેલા ‘ચાર્જ મેમોરેન્ડમ‘ને રદ કરવામાં આવ્યો હતો.

૨૦૦૮ બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી વાનખેડે, ૨૦૨૧ માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈમાં તેમના કાર્યકાળ દરમિયાન કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તેમના પુત્ર આર્યન ખાનને ફસાવવાની ધમકી આપીને બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પરિવાર પાસેથી ૨૫ કરોડ રૂપિયાની માંગણી કરવા બદલ હેડલાઇન્સમાં આવ્યા હતા.

ઝ્રછ્ સમક્ષ, વાનખેડેએ એજન્સીમાંથી રાહત મળ્યા બાદ દ્ગઝ્રમ્ના કાનૂની વિભાગ પાસેથી તપાસ સંબંધિત ગુપ્ત માહિતી માંગવા બદલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા તેમની સામેની શિસ્ત તપાસને પડકારતી મૂળ અરજી દાખલ કરી હતી.

એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે દ્ગઝ્રમ્ના કાનૂની અધિકારી પાસેથી તપાસમાં “તપાસનું સંચાલન” કરવા માટે “ખાતરી” માંગી હતી.

૧૨ જાન્યુઆરીના રોજ, હાઈકોર્ટે વાનખેડે સામેની શિસ્ત કાર્યવાહી પર રોક લગાવવાના ઝ્રછ્ના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

જાેકે, તેણે ઝ્રછ્ને ૧૪ જાન્યુઆરી અથવા આગામી ૧૦ દિવસમાં મુખ્ય બાબતનો ર્નિણય લેવા માટે “નિષ્ઠાવાન પ્રયાસો” કરવા જણાવ્યું હતું.