દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડી અને નાણાકીય અનિયમિતતાના આરોપો બાદ અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીને કસ્ટડીમાં લીધા છે. તેમની ધરપકડ બાદ, સિદ્દીકીને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં અધિકારીઓએ વિગતવાર પૂછપરછ માટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા દાખલ કરાયેલી ઔપચારિક ફરિયાદોના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે યુજીસીની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે સિદ્દીકી સામે બે અલગ અલગ એફઆઈઆર નોંધી છે. આરોપોમાં છેતરપિંડી અને અનિયમિત નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે સિદ્દીકીની ધરપકડ મોટી તપાસનો એક ભાગ છે અને પૂછપરછ આગળ વધતાં વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે. આ ઘટનાક્રમ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) ની કાર્યવાહીએ પણ સંસ્થાની આસપાસ તપાસને વધુ તીવ્ર બનાવી દીધી હતી.
વિવાદાસ્પદ સ્ટાફ લિંક્સને કારણે યુનિવર્સિટી અગાઉ ચર્ચામાં હતી
અલ-ફલાહ યુનિવર્સિટીને અગાઉ રાષ્ટ્રીય તપાસનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એવું બહાર આવ્યું હતું કે ૧૩ લોકોના મોત નિપજેલા લાલ કિલ્લા વિસ્ફોટમાં દોષિત ઠરેલા ડૉ. ઉમર નબી સંસ્થામાં નોકરી કરતા હતા. તેમના બે સહયોગીઓ, ડૉ. મુઝમ્મિલ શકીલ અને ડૉ. શાહીન શાહિદ, જેમને અધિકારીઓ શંકાસ્પદ “વ્હાઇટ-કોલર” આતંકવાદી નેટવર્ક સાથે જાેડે છે, તેઓ પણ યુનિવર્સિટીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું.
બીજા એક આંચકામાં, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલે કથિત ખોટા માન્યતા દાવા પર કારણ બતાવો નોટિસ જારી કર્યા પછી નવેમ્બરમાં યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ ઑફલાઇન કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાછળથી જણાવ્યું હતું કે તે યુનિવર્સિટી અને તેના તબીબી સ્ટાફના કેટલાક સભ્યો સાથે જાેડાયેલા ભંડોળના સ્ત્રોતો અને નાણાકીય પ્રવૃત્તિઓની તપાસ કરશે.
ઈડ્ઢ એ અલ-ફલાહ યુનિવર્સિટીની સંપત્તિઓ જપ્ત કરી
ગયા મહિને, ઈડ્ઢ એ હરિયાણા સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીની જમીન અને ઇમારત જપ્ત કરી હતી, જેની કિંમત લગભગ રૂ. ૧૪૦ કરોડ હતી, જે ૧૦ નવેમ્બરના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓના રડાર હેઠળ આવી હતી, અને અલ-ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકી અને તેમના ચેરિટેબલ ટ્રસ્ટ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની ૫૪ એકર જમીન, તેની ઇમારતો, જેમાં વિવિધ શાળાઓ અને વિભાગો ઉપરાંત વિદ્યાર્થી છાત્રાલયોનો સમાવેશ થાય છે, તેને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (ઁસ્ન્છ) હેઠળ જારી કરાયેલા કામચલાઉ આદેશના ભાગ રૂપે જપ્ત કરવામાં આવી છે. આ મિલકતોની કિંમત રૂ. ૧૩૯.૯૭ કરોડ છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે.

