બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર રવિવારે ઔપચારિક રીતે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) માં જાેડાયા, જે તેમનું રાજકીય પદાર્પણ હતું અને પક્ષના નેતૃત્વમાં પેઢીગત પરિવર્તનનો સંકેત આપે છે. ૪૦ વર્ષના નિશાંત, એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ‘લલન‘, જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને પક્ષના કાર્યકરોના વિશાળ મેળાવડાની હાજરીમાં પટણા સ્થિત મુખ્યાલયમાં પાર્ટીમાં સામેલ થયા.
રાજ્યસભાની ચૂંટણી માટે નીતિશ કુમારે ઉમેદવારી પત્ર ભર્યાના થોડા દિવસો પછી જ આ ઘટના બની છે.
‘પક્ષ સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરશે‘: નિશાંત
પક્ષમાં ઔપચારિક રીતે જાેડાયા બાદ બોલતા, નિશાંતે કહ્યું કે તેઓ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરશે. “મારા પિતાએ રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું, તે તેમનો વ્યક્તિગત ર્નિણય હતો. અમે બધા તેનો આદર કરીએ છીએ. અમે તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતા રહીશું. હું સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરીશ”.
નિશાંતે દાવો કર્યો કે તેમના પિતા, બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી તરીકે, છેલ્લા વીસ વર્ષમાં રાજ્ય માટે ઘણું કર્યું છે. “રાજ્યના વિકાસમાં તેમના (નીતીશ) યોગદાનને રાજ્યના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં,” તેમણે કહ્યું.
પટનામાં JDU કાર્યાલયમાં નિશાંતનું આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, પાર્ટીના કાર્યકરો પરિસરની બહાર એકઠા થયા, પાર્ટીના ધ્વજ લહેરાવ્યા અને ઢોલ વગાડ્યા. નીતિશ કુમારના પુત્રનું ઔપચારિક રીતે સક્રિય રાજકારણમાં પ્રવેશતાં વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
નિશાંત કુમાર નાયબ મુખ્યમંત્રી બનશે
હરનૌતના ત્નડ્ઢેં ધારાસભ્ય હરિ નારાયણ સિંહના જણાવ્યા અનુસાર, આવતા મહિને રાજ્ય વિધાન પરિષદમાં ચૂંટાઈ આવશે.
દરમિયાન, રાજકીય વર્તુળોમાં અટકળો વધી રહી છે કે નિશાંત કુમારને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે. નીતિશ કુમારના એક નજીકના સાથીએ દાવો કર્યો હતો કે તેમના પિતાના રાજીનામા પછી રચાનારી સરકારમાં નિશાંતને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો “સર્વસંમતિથી” ર્નિણય લેવામાં આવ્યો હતો.

