National

કર્ણાટકમાં રોડ અકસ્માત: બેંગલુરુ નજીક અનેક વાહનો અથડાતા ૭ લોકોના મોત

શુક્રવારે સવારે કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં હોસ્કોટની બહાર અનેક વાહનો અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના હોસ્કોટ દબાસ્પેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એમ સત્યાવરા ગામ નજીક બની હતી.

આ અકસ્માતમાં એક મોટરસાઇકલ, એક કાર અને એક કેન્ટર ટ્રકનો સમાવેશ થાય છે. કર્ણાટક પોલીસના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (જીેંફ) હોસ્કોટથી દેવનહલ્લી જઈ રહી હતી. જાેકે, જીેંફ ચાલકે કાબુ ગુમાવ્યો અને કારની સામે રહેલી મોટરસાઇકલને ટક્કર મારી. આ ઘટનામાં અફડાતફડી મચી ગઈ અને એક કેન્ટર ટ્રક પણ આ ઘટનામાં ફસાઈ ગઈ.
આ અકસ્માતમાં જીેંફમાં મુસાફરી કરી રહેલા છ લોકોના મોત થયા હતા. મોટરસાઇકલ સવારનો પણ જીવ ગયો, એમ કર્ણાટક પોલીસે જણાવ્યું હતું. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ પોલીસનું માનવું છે કે તેઓ બેંગલુરુના કોઠાનુરના રહેવાસી હોવાનું માનવામાં આવે છે.

કર્ણાટક પોલીસે જણાવ્યું હતું કે તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્કોટ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ઉમેર્યું હતું કે પ્રથમ માહિતી અહેવાલ (હ્લૈંઇ) નોંધવામાં આવ્યો છે અને અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

બે અન્ય અકસ્માતોમાં છ લોકોના મોત

કર્ણાટકમાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ ત્રીજાે મોટો અકસ્માત છે. રવિવારે, બિદર જિલ્લાના હુમનાબાદ તાલુકામાં નાગન્ના ક્રોસ નજીક એક મોટરસાઇકલ પુલ સાથે અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા. મૃત્યુ પામેલા લોકોની ઓળખ વેંકટ કરતમલ (૪૦), તેમની પત્ની શિલ્પા (૩૫) અને તેમની પુત્રી રક્ષિતા (૧૨) તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે, આ દંપતીનો પુત્ર દિગંબર (૧૫) પણ અકસ્માતમાં ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પોલીસે ઉમેર્યું કે પરિવાર રાજેશ્વર ગામનો રહેવાસી હતો.

રવિવારે કર્ણાટકના કોલાર જિલ્લામાં બીજાે અકસ્માત થયો હતો, જેમાં ત્રણ મજૂરોના મોત થયા હતા. શ્રીનિવાસપુરમાં તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે પલટી ગયા બાદ આ અકસ્માત થયો હતો, પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોમાંથી બેની ઓળખ મુનિયમ્મા અને વેંકટપ્પા તરીકે થઈ છે. તેઓ આંધ્રપ્રદેશના હતા.