National

કેરળમાં ૨૦૨૫ માં ૨.૫૮ કરોડથી વધુ પ્રવાસીઓનો રેકોર્ડ નોંધાયો: પર્યટનમંત્રી પી એ મોહમ્મદ રિયાસ

રાજ્યના પર્યટન મંત્રી પી એ મોહમ્મદ રિયાસે સોમવારે જણાવ્યું હતું કે ૨૦૨૫ માં કેરળના ઇતિહાસમાં સૌથી વધુ પ્રવાસીઓનું આગમન થયું હતું.

પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગયા વર્ષે રાજ્યની બહારથી ૨,૫૮,૮૦,૩૬૫ પ્રવાસીઓએ કેરળની મુલાકાત લીધી હતી, જે રાજ્યની રચના પછી સૌથી વધુ છે.

તેમણે કહ્યું કે ૨૦૨૪ ની તુલનામાં, ૨૦૨૫ માં ૨૮,૯૫,૦૦૨ વધારાના પ્રવાસીઓએ કેરળની મુલાકાત લીધી હતી.

સ્થાનિક પ્રવાસીઓના આગમનની સંખ્યામાં ૧૨.૬૪ ટકાનો વધારો થયો છે, અને આ કોવિડ પહેલાના સમયગાળાની તુલનામાં ૩૬.૦૩ ટકા વધુ છે, એમ તેમણે જણાવ્યું હતું.

રિયાસે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રવાસીઓના આગમનમાં ઇડુક્કી જિલ્લો રાજ્યમાં ટોચ પર છે, જેમાં ૪૬,૭૯,૮૦૦ મુલાકાતીઓ નોંધાયા છે, ત્યારબાદ એર્નાકુલમ ૪૪,૨૯,૮૯૯ સાથે, તિરુવનંતપુરમ ૪૩,૭૫,૮૪૬ સાથે અને ત્રિશુર ૩૧,૨૪,૬૯૬ સાથે આવે છે.

તેમણે કહ્યું કે અગાઉ, ઉત્તર કેરળમાં, ત્રિશુરથી કાસરગોડ જિલ્લામાં, પ્રવાસીઓનું આગમન રાજ્યના કુલ પ્રવાસીઓના માત્ર છ ટકા જેટલું હતું, પરંતુ તાજેતરના વષ-ર્ોમાં આ હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે.