વર્તમાન આચાર સહિતાને સમયમાં ખાંભા મામલતદાર કચેરીમાં કર્મચારીઓ બર્થ ડે ઉજવતા શહેરના બુધ્ધિજીવીઓમાં ચર્ચાનો વિષય બન્યો. સરકારી ઓફિસોમાં બર્થ ડે પાર્ટી ઉજવવી તે કેટલું યોગ્ય ગણાય ??? જ્યારે અરજદારો પોતાના કામનો યોગ્ય પ્રત્યુત્તર અને પ્રતિસાદ મળે અને પોતાને નડતી સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય એ અર્થે કચેરીમા આવતાં હોય ત્યારે
અરજદારોના કામો ટલ્લે ચડી શકે છે. આ બર્થ ડે પાર્ટી દ્વારા સમાજમાં કેવો સંદેશ જશે? એ પણ એક જવાબદાર તંત્રના કર્મચારીઓ તરીકે વિચારવું રહ્યું. ઘણી વખત યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ ન હોવાને કારણે પણ અરજદારોના કામગીરીમાં વિલંબ થઈ શકે છે.
જો ખાંભા મામલતદારની હાજરીમાં જ આ બર્થ ડે પાર્ટી ઉજવાણી હોય તો તે કેટલે અંશે યોગ્ય ગણાય???એવો વેધક સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ક્યાંક અરજદારોના સમયસર કામ ન થવાના કારણો આવાં પણ હોય શકે છે. પોતાનો અતિ મૂલ્યવાન સમય અરજદાર પોતાને કનડતી સમસ્યાના નિરાકરણ માટે ફાળવતો હોય ત્યારે કર્મચારીઓના જન્મદિવસની આવી ઉજવણી કચેરીમાં જ થાય એ કેટલે અંશે યોગ્ય કહેવાય? એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે એમ ભીખુભાઇ બાટાવાળાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.