National

મમતા બેનર્જીએ ઘૂસણખોરોણે લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો

બોર્ડર સિક્યુરિટી ફોર્સ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે. તેથી જ બંગાળમાં અશાંતિ ફેલાઈ રહી છે. આ કેન્દ્ર સરકારનો એજન્ડા છે. તેમણે કહ્યું કે જાે મ્જીહ્લ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તૃણમૂલ કોંગ્રેસ તેમનો વિરોધ કરશે. અમે કેન્દ્ર સરકારને આ અંગે ઘણી વખત જણાવ્યું છે.

કેન્દ્ર જે પણ ર્નિણય લેશે તે અમે સ્વીકારીશું. અમે કેન્દ્રને વિરોધ પત્ર પણ મોકલીશું. બેનર્જીએ કહ્યું- ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે મ્જીહ્લ બોર્ડર પર તહેનાત છે પરંતુ તેઓ બાંગ્લાદેશીઓને ઈસ્લામપુર, સીતાઈ અને ચોપરા બોર્ડરથી ભારતમાં ઘુસવાની મંજુરી આપી રહ્યા છે. મ્જીહ્લ પણ મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે. જાે તેઓ ઘૂસણખોરોને બંગાળમાં ઘુસવા દેશે અને ્‌સ્ઝ્રને દોષી ઠેરવે તો આવું ચાલશે નહીં. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ‘નર્સરી’ બની ગયું છે.

બંગાળ સરકારે શરૂઆતમાં બાંગ્લાદેશીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું અને પછી ્‌સ્ઝ્ર સાંસદ અભિષેક બેનર્જીએ બાંગ્લાદેશીઓના નામે રાજકારણ કર્યું. આ હાસ્યાસ્પદ છે. આ લોકોએ સમગ્ર દેશની માફી માંગવી જાેઈએ. ડાયમંડ હાર્બરથી ્‌સ્ઝ્ર સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું- રાજ્યના બીજેપી નેતાઓ દરેક મામલે ્‌સ્ઝ્ર સરકારને દોષી ઠેરવે છે અને વિરોધ કરે છે. પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય સમુદાયો પર ચાલી રહેલા અત્યાચારો અંગે મોદી સરકારના અપૂરતા જવાબ વિશે વાત નથી કરતા.

જાે ભાજપના નેતાઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો અંગે ચિંતિત હોય તો તેઓ દિલ્હીની મોદી સરકારને નક્કર પગલાં ભરવાનું કેમ કહેતા નથી. ૯ ડિસેમ્બરે, મમતા બેનર્જીએ બાંગ્લાદેશી નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા પર બાંગ્લાદેશનો અધિકાર છે.

મમતાએ કહ્યું હતું કે તમને શું લાગે છે, જાે તમે અમારી જમીન પર કબજાે કરવાનો પ્રયાસ કરશો તો અમે લોકો લોલીપોપ ખાતા રહીશું? પશ્ચિમ બંગાળ વિધાનસભાને સંબોધન કરતી વખતે મમતાએ લોકોને અપીલ કરી હતી કે તેઓ બાંગ્લાદેશમાં થઈ રહેલા નિવેદનોથી પરેશાન ન થાય. તેમણે જનતાને ખાતરી આપી કે પશ્ચિમ બંગાળ હંમેશા કેન્દ્રના ર્નિણયને સમર્થન આપશે. મમતાએ લોકોને શાંત રહેવા, સ્વસ્થ રહેવા અને માનસિક શાંતિ જાળવવા કહ્યું હતું.