છત્તીસગઢમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક વરિષ્ઠ માઓવાદી નેતા માર્યો ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે માઓવાદીઓની કેન્દ્રીય સમિતિના સભ્ય ગૌતમ ઉર્ફે સુધાકરને તાજેતરની ગોળીબારમાં ઠાર મારવામાં આવ્યા હતા, જે સીપીઆઈ (માઓવાદી) ના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો દ્વારા માર્યા ગયાના થોડા દિવસો પછી થયું છે, જેનાથી સશસ્ત્ર ચળવળને મોટો ફટકો પડ્યો છે.
જાેકે, સુધાકરના મોતની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બસ્તર રેન્જમાં તૈનાત એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયા ને જણાવ્યું હતું કે, વરિષ્ઠ કેડર્સની હાજરી અંગેની માહિતીના આધારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી ત્યારે ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારના જંગલમાં ગોળીબાર થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે, છત્તીસગઢ પોલીસના બંને એકમો, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને કોબ્રા (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન – સીઆરપીએફનું એક વિશિષ્ટ એકમ) ના સુરક્ષા કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે, માઓવાદી નેતા સુધાકર, તેલંગાણા રાજ્ય સમિતિના સભ્ય બંદી પ્રકાશ, દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી (ડીકેએસઝેડસી) ના સભ્ય પપ્પા રાવ અને કેટલાક અન્ય સશસ્ત્ર કેડરોની હાજરી અંગેની માહિતીના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
“પ્રારંભિક અહેવાલો ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળવાની મજબૂત શક્યતા સૂચવે છે,” તેમણે કહ્યું. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે, અને વધુ વિગતો પછીથી શેર કરવામાં આવશે, તેમણે ઉમેર્યું.

