સિંગાપોરમાં એક ભારતીય મૂળના બ્લોગરને દેશમાં વિવિધ વંશીય જૂથો વચ્ચે અસંમતિને પ્રોત્સાહન આપવા બદલ SGD 6,000 (લગભગ ?૪ લાખ) નો દંડ ફટકારવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
૫૭ વર્ષીય મનમીત સિંહે ટિકટોક પર એક પોસ્ટમાં સિંગાપોરના ડિજિટલ વિકાસ અને માહિતી મંત્રી જાેસેફાઇન ટીઓ પર મલય, જે મોટે ભાગે મુસ્લિમ સમુદાય છે, વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
મનમીત સિંહની ૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ આ ગુના બદલ ધરપકડ કરવામાં આવી હતી, અને સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તે જ દિવસે જામીન મળ્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તેણે વંશીય જૂથો વચ્ચે જાણી જાેઈને અસંતોષ ફેલાવવાનો ગુનો કબૂલ્યો હતો.
સિંહને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ‘પ્રેરિત‘ કરવામાં આવ્યો હતો, તેમના વકીલોએ કોર્ટને જણાવ્યું
સિંહના વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે ટિકટોક પર સામાજિક-રાજકીય મુદ્દાઓ પર સામગ્રી બનાવતા બ્લોગરને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ‘પ્રેરિત‘ કરવામાં આવ્યો હતો.
સિંહને કથિત રીતે એક અજાણી વ્યક્તિ દ્વારા એક લિંક મોકલવામાં આવી હતી, જેમાં કથિત રીતે તે સામગ્રી હતી જેના કારણે તે ટીઓ પર વિડિઓ બનાવતો હતો, એમ મીડિયા સૂત્રો દ્વારા અહેવાલમાં જણાવાયું છે.

