Gujarat

નોઈડાની સોસાયટીમાં રાત્રે ‘રેવ પાર્ટી’ ચાલી રહી હતી અને અચાનક પહોંચી પોલીસ, ૩૯ છોકરા-છોકરીઓ ઝડપી લીધા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક રહેણાંક સોસાયટીના ફ્લેટમાં પોલીસે દરોડા પાડીને ૩૯ યુવક-યુવતીઓની અટકાયત કરી છે. ફ્લેટમાં રાત્રે કથિત રીતે રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસના દરોડામાં ઝડપાયેલા તમામ લોકો જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં હરિયાણા લેબલ દારૂની બોટલો અને હુક્કા જપ્ત કર્યા છે. નોઈડા પોલીસના એક અધિકારીના જણાવ્યા […]

National

આખો દેશ પીડિતોની સાથે છે : સમીક્ષા બેઠકમાં pm મોદી

વાયનાડમાં કુદરતનું વિકરાળ સ્વરૂપ જાેવા મળ્યુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનની ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારની મદદ માટે આપણે બધાએ સાથે આવવું પડશે. આ દુર્ઘટનામાં સેંકડો પરિવારોના સપના બરબાદ થઈ ગયા છે. કુદરતે તેનું ઉગ્ર સ્વરૂપ […]

National

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં ૨ જવાન શહીદ

શનિવારે સાંજે સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં ડોડા વિસ્તારમાં થયેલી ઘટનાઓ માટે જવાબદાર આતંકવાદીઓ કિશ્તવાડ રેન્જ પાર કરીને દક્ષિણ કાશ્મીરના કપરાન ગરોલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. ત્યારથી રાષ્ટ્રીય […]

Gujarat

રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો સરકારે મહત્વનો ર્નિણય કર્યો : અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું

રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે તેવુ અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ […]

Gujarat

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ જેટ્‌લા ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે ૦૯ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં ૦૯ દરવાજા […]

Gujarat

હિંડનબર્ગના આરોપો અંગે હવે સેબીના ચીફ માધબી બુચ સમગ્ર મામલે ખુલીને સામે આવ્યાં

હિંડનબર્ગના આરોપો પર સેબીના અધ્યક્ષે કહ્યું- ‘અમારું જીવન અને નાણાં એક ખુલ્લી પુસ્તકની જેમ છે, આ ચારિત્ર્યની હત્યાનો પ્રયાસ છે’ અમારી પર લગાવાયેલાં તમામ આરોપો સાવ પાયાવિહોણા છે. તમામ આરોપો તદ્દન ખોટા છે. હિંડનબર્ગ રિસર્ચે થોડા વર્ષો પહેલા અદાણી કેસમાં મોટો ખુલાસો કર્યો હતો. હવે હિંડનબર્ગે સેબીને લપેટમાં લીધું છે. આરોપ છે કે સેબીના ચેરપર્સન […]

Gujarat

ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટી 8 ફૂટ, મહત્તમ 15 થી 17 ફૂટ થવાની સંભાવના

અંકલેશ્વર તરફના 14 ગામમાં વધુ તકેદારી ગત વર્ષે નર્મદા નદીમાં આવેલાં પૂરની સૌથી વધારે અસર અંકલેશ્વર તાલુકામાં વર્તાઇ હતી. નદીથી 10 કીમી દૂર શહેર સુધી પૂરના પાણી ફરી વળ્યાં હતાં. અંકલેશ્વરના એસડીએમ, મામલતદાર તથા ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સરફુદ્દીન, ખાલપીયા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ, સક્કરપોર, જુના પુન ગામ, બોરભાઠા, તરીયા, નવા ધંતુરીયા, જુના […]

Gujarat

ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીએ માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા […]

Gujarat

ગિરનાર પ્રવાસ કરીને વાદળોને વિંધવાનો સમય

ગિરનારની વનરાજી અને ખૂબસુરતી માણવી હોય તો સૌથી શ્રેષ્ઠ સમય વરસાદ રોકાઇ ગયા પછીના દિવસો જ હોય છે. શ્રાવણ માસમાં જટાશંકર ફરવા આવનાર બહારગામનો વર્ગ વધ્યો છે. ગિરનાર સીડી ચઢીને જનારા બહુ ઓછા હોય છે. જોકે, ઉડન ખટોલામાં બેસીને ગિરનાર સ્થિત અંબાજી મંદિર સુધી જનારા પ્રવાસીની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉડન ખટોલાના પ્રવાસ […]

Gujarat

નદી પ્રદૂષિત કરનારા શખ્સો સામે કોઇ કાર્યવાહી ન કરાતા અનેક સવાલ

જામનગરની રંગમતી નદીમાં ખુલ્લેઆમ કેમિકલયુકત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. નદી પ્રદૂષિત કરનારા શખ્સો સામે કોઇ કાર્યવાહી ન કરાતા અનેક સવાલ ઉઠ્યા છે. મહાનગરપાલિકા કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહી હોય પારવાર દુર્ગંધથી આવાગમન કરવામાં ભારે હાલાકી પડી રહી છે. જામનગરમાં રંગમતી અને નાગમતી નદીના વહેણમાં વ્હોરના હજીરા પાસે છાશવારે કેમિકલયુકત પાણીનો નિકાલ કરવામાં આવી […]