ભારતીય જનતા પાર્ટીના નેતા અને અમરેલી સાંસદ નારણ કાછડિયાએ પાર્ટી સામેજ બળાપો કાઢયો હોય તેવો કિસ્સો બન્યો હતો જેમાં સાવરકુંડલા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પક્ષના કાર્યકરોની લાગણીને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ નારણ કાછડીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી સવારે ભાજપમાં આવે, બપોરના સમયે ખેસ પહેરે અને બીજા દિવસે પ્રધાન પણ બની જાય છે. પાર્ટીને […]
Author: JKJGS
નીટ પરીક્ષા કૌભાંડઃ ગોધરાની સ્કૂલના શિક્ષક ની રોકડા સાથે પોલીસ કરી ધરપકડ
નીટ ની પરીક્ષા કૌભાંડને લઇને પોલીસે તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપ્યો છે. ૭ લાખ રોકડ રકમ અને કારની આર સી બુક અને મોબાઇલ કબજે કર્યો છે. રવિવારે લેવાયેલી નીટ ની પરીક્ષામાં ઉંચા માર્કસ મેળવવા માટે પૈસા નક્કી કરાયા હતાં. જેમાં એક વિદ્યાર્થી દીઠ ૧૦ લાખનો કૌભાંડ નક્કી થયાનો ઘટસ્ફોટ થયો હતો. ગોધરાની જય […]
કોંગ્રેસ દેશમાં કર્ણાટકનું મોડલ લાવવા માંગે છે, ધર્મ આધારિત અનામત લાગુ નહી થાય ઃ વડાપ્રધાન મોદી
મહારાષ્ટ્રના નંદુરબારમાં મતદાન લોકસભા ચૂંટણી ના પાંચમા તબક્કામાં ૧૩ મે ના રોજ યોજાશે તેના માટે પ્રચાર કરતાં સમયે જંગી જાહેર સભામાં લોકોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે, વંચિતોના અધિકારોનો પીએમ મોદી ચોકીદાર છે. વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહી અપાય. કોંગ્રેસ દેશમાં કર્ણાટકનું મોડલ […]
આગરામાં ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
ઉત્તર પ્રદેશના આગરામાં ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. માતા કામાખ્યા દેવીના મૂળ ગર્ભગૃહને લઈને આગરા સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગર્ભ ગૃહના દાવાનો આ દાવો સ્મોલ કોઝ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં સંજ્ઞાન લઈને નોટિસ જારી કરવાનો આદેશ […]
ઈફકો માં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી
આપણા દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદ પર દિલીપ સંઘાણીની નિમણૂક થઈ છે. દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થઈ છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. દિલ્હી ખાતે ઇફ્કોના હેડક્વાટર ખાતે યોજાયેલ બેઠકમાં દિલીપ સંઘાણીની ચેરમેન પદે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી છે. ગઇકાલે જ IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. […]
દારૂ નીતિ કેસઃ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્યા
આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના ટોચના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧ જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શુક્રવારે આ ર્નિણય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ૨૫મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે, […]
પ્રેમમાં છેતરપિંડી થયા બાદ હોસ્પિટલના લેબ ટેકનિશિયને ડ્રિપ દ્વારા એનેસ્થેસિયાના ૪૦ ઈન્જેક્શન લઈને આત્મહત્યા કરી
ઉત્તર પ્રદેશમાં ના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, આ એક ખૂબ આઘાતજનક દુર્ઘટના સમાન કિસ્સો છે જેમાં પ્રેમમાં છેતરપિંડી થયા બાદ હોસ્પિટલના લેબ ટેકનિશિયને ડ્રિપ દ્વારા એનેસ્થેસિયાના ૪૦ ઈન્જેક્શન લઈને આત્મહત્યા કરી લીધી. મૃત્યુ પહેલા યુવકે તેની ગર્લફ્રેન્ડ વિશે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેણે તેના પાંચ વર્ષ વેડફ્યા છે. તેણે સુસાઈડ નોટમાં […]
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢમાંથી એક સારા સમાચાર આવ્યા હતા જેમાં રાજ્યમાં નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય સુરક્ષા અધિકારીઓ દ્વારા આ નક્સલવાદીઓ પર ૩૬ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ તમામ નક્સલવાદીઓની ભારતીય સૈનિકો અને છત્તીસગઢની પોલીસ લાંબા સમયથી શોધખોળ કરતી હતી. ભારતીય સુરક્ષા અધિકારીઓ સામે […]
બરતરફ કરાયેલા તમામ કેબિન ક્રૂ સભ્યોને પાછા લેવા માટે એરલાઈને સહમતી દર્શાવી
એર ઈન્ડિયા એક્સપ્રેસની બેઠકમાં લેવાયો મોટો ર્નિણય બે દિવસ અગાઉ એર ઈન્ડિયા એક્સપ્રેસ ના કેબિન ક્રૂ સભ્યોનું એક જુથ બીમાર હોવાનું કહ્યું રજા પર ઉતર્યું હતું. તેના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસની ૭૦ થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૫ વધુ સભ્યોને બળતરફ કરી […]
લક્ષ્મીપુરા પાસે ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટમાં સાઉન્ડ વધારે હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોનમાં ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટમાં સાઉન્ડ વધારે હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોનમાં ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે, જો કે, વધારે સાઉન્ડના કારણે આસપાસના રહીશોને ખૂબ જ મુશ્કેલી પડી રહી […]










