હોમ, યજ્ઞ, લોક ડાયરો મહા પ્રસાદ સહિત નું આયોજન કરવામાં આવશે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે આગામી તા.6 અને 7 ના બે દિવસીય શ્રી ચામુંડા માતાજી ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચામુંડા માતાજી ના મંદિર ના લાભાર્થે તા 6/2/2025 ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે […]
Author: JKJGS
છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે
જો કે છોટાઉદેપુર ભાજપા દ્વારા અંતિમ દિવસે પોતાના પત્તા ઓપન કર્યા અને 28 બેઠકો પૈકી 20 બેઠકો ઉપર પોતાના ઉમેવારો ઉતારવામાં આવ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. લગભગ 22 માસના વહીવટદારના શાસન થી ચાલેલ નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાં નગરનું રાજકારણ ભર શિયાળે ગરમાયું હતું. […]
છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતી, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતી, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ, જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તથા મીટીંગમાં હાજર રહેલ તમામ સરકારી અને […]
છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખડકવાલા ખાતેથી સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન કરતા એક હિટાચી મશીન અને બે ટ્રકને ઝડપી પાડ્યા હતા
છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે ખડકવાલા ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા ૧ હિટાચી મશીન અને ૨ ટ્રક ઝડપી પાડી હતી. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા ૧ કરોડનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા […]
આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ છોટાઉદેપુર જિલ્લા ના ડૉ.શૈલેષ રાઠવા સી.એચ.સી. પાનવડને સન્માનિત કરાયા
ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ખાતેનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા માં સૌથી વધુ સુવાવડ કરાવેલ હોય આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશનના મિશન ડાયરેકટર રમ્યા મોહનના વરદ હસ્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.શૈલેષ રાઠવા ને […]
સ્વામિનારાયણ સંપ્રદાયની સહજાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રીની વસંત પંચમીએ જયંતી
સવંત ૧૮૮૨ ના મહા-સુદ પંચમી વસંત પંચમીના શુભ દિવસે શ્રી હરીએ શિક્ષાપત્રી લખીએ મારી વાણી અને મારું સ્વપ્નું છે. એમ કહીને શિક્ષારૂપી આદેશ આપનાર ભગવાન સ્વામિનારાયણ માત્ર પોતાના આશ્રિતો પર જ નહી પરંતુ સમસ્ત માનવ ઉપર અનંત ઉપકાર કર્યાં. સ્વામિનારાયણ ભગવાને ૨૧૨ બસ્સોબાર શ્લોકનું માર્ગદર્શન આપેલું છે. તેનુ નામ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી વિચાર, વાણી, વર્તનને […]
શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાનું ગૌરવ..
શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાના ગણીત -વિજ્ઞાન શિક્ષકો સંજયભાઇ ચૌહાણ, લાલજીભાઇ કાપડીયા તેમજ રોહિતભાઇ ઓઝા સાહેબના માર્ગદર્શન તેમજ સંપુર્ણ સહકાર હેઠળ આ શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતાં ધોરણ ૧૦ ના વિધાર્થી ડોબરિયા દર્શને ગુજરાત સ્ટેમ ક્વિઝમાં ભાગ લીધેલ જેમાં તે અમરેલી જિલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરી ભાવનગર મુકામે રાજ્યકક્ષાએ ભાગ લીધેલ જેમાંથી તે નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા […]
જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ
પૂર્વ પ્રમુખને ભાજપ પ્રદેશ દ્વારા મેન્ડેન્ટના અપાતા ભડકાના એંધાણ રાજકોટ જિલ્લામાં જેતપુરમાં જૂથવાદનું નડતર જેતપુર શહેરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં આજ સવારથી જ ટ્વિસ્ટ જોવા મળ્યું હતું. આજે સવારે રહી રહીને ભાજપના ઉમેદવારો નું લિસ્ટ જાહેર થયું હતું 44 સીટ પર ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે જેમાંથી 42 સીટોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેમ […]
પી.આઈ. વી.એમ. કોલાદરા સાહેબ એ રાજુલા પોલીસ સ્ટેશન માં ફક્ત છ મહિનામાં જ તેમની કાર્યદક્ષતા અને નિષ્ઠાપૂર્ણ કામગીરી થી સમગ્ર વિસ્તારમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે
તેમના માર્ગદર્શનમાં હેઠળ રાજુલા વિસ્તારમાં ગુનાના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને સમાજમાં શાંતિ. સલામતી. સુરક્ષા નું વાતાવરણ સ્થાપિત થયું છે. કોલાદરા સાહેબે ટ્રાફિક નિયંત્રણ, સાયબર ફ્રોડ, અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, પોલીસ ટીમે સાયબર ગુનાઓને રોકવા માટે નવીનતમ તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે, જેના પરિણામે […]
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આવેલ આઈ શ્રી મોમાઈ આશ્રમ તરફથી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં મોમાઈ આશ્રમ આવેલું છે. ત્યાં છેલ્લા ૩૦ વર્ષથી આશ્રમના મહંત શ્રી શંભુગીરી બાપુ સામાજિક સેવાઓની વિવિધ પ્રવૃતિઓ કરે છે. જેના એક ભાગરૂપે ગાધકડા તથા આજુબાજુના ગામોની ૨૦૦ (અત્યારે ૨૫ અને એની પહેલા ૧૭૫) જેટલી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો. આ કરિયાવર વિતરણ પ્રસંગે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા તાલુકા પંચાયતના […]