Gujarat

જામનગરમાં મહા યોગ શિબિરનું આયોજન, બાળકોએ ભગવાન શિવના ભજન પર વિવિધ યોગાસનની કૃતિઓ રજૂ કરી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ- ગાંધીનગર અશ્વિની કુમાર, ચેરમેન અને યોગ સેવક શીશપાલજી તેમજ ઓ.એસ.ડી. વેદીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ બંગલો અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતે મહા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારે યોગ શિબિરના આયોજન થકી નાગરિકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જાળવણી થાય અને આ સાથે સાથે આગામી પેઢીમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને […]

Gujarat

જામનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પોષણ પખવાડિયા ઉજવણીની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર મા કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તારીખ 9 થી 23 માર્ચ 2024 સુધી છઠ્ઠા પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 8 માર્ચ વર્ષ 2018ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોષણ પખવાડિયાનો ધ્યેય જન ભાગીદારી દ્વારા સમાજમાં બાળકોમાં જોવા મળતા […]

Gujarat

જામનગરમાં માર્ચ મહિના અન્વયે બાકી વીજ બીલના નાણાંની રિક્વરી માટે સેન્ટ્રલઝોન દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

જામનગર શહેરમાં આજે પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરી ખાતે માર્ચ મહિના અન્વયે બાકી વીજબિલના નાણાંની રિકવરી માટે માસ ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા પંચાયત, માધવ સ્કેવર વાળો વિસ્તાર, લીમડા લાઈન, ભીડભંજન મહાદેવ મંદિર પાસે વિસ્તાર, સીટી પોઈન્ટ વિસ્તાર, બદરી કોમ્પ્લેક્સ આસપાસનો વિસ્તાર, અનુપમ ટોકીઝ, ધણશેરી, વાલકેશ્વરી, ઇન્દિરા માર્ગ, પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તાર, […]

Gujarat

વંથલી તાલુકાના ઝાંપોદડ હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર લેબ  ઉદ્દઘાટન સમારોહ યોજાયો

સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આઈ.સી. ટી. લેબ પ્રોજેક્ટ અંતર્ગત શેઠ બી.કે. મહેતા હાઈસ્કૂલમાં પંદર કોમ્પ્યુટર આપવામાં આવેલ છે. તેનું ઉદ્ઘાટન તા.12.03.24ના રોજ ગામના સરપંચશ્રીના પ્રતિનિધિ વસંતભાઈ પરમારના વરદ હસ્તે કરાયું હતું. તેમજ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Gujarat

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામે “બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામે “બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. “મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, પ્રદેશ ભાજપ આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, […]

Gujarat

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે બોડેલી તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના વાઘવા ગામે ૨ પ્રાથમિક શાળાના ઓરડાઓ તેમજ પેટા આરોગ્ય કેન્દ્રનું ૩૫ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફાટા ગામે પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પર સ્લેબડ્રેઈન ૭૯.૯૯ લાખના ખર્ચે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના મોતીપુરા (વા) પ્રાથમિક શાળાના જોડતા રસ્તા પર સ્લેબડ્રેઈન ૧ કરોડ ૦૯ લાખનું ખાતમુહૂર્ત […]

Gujarat

ભેસાવહી હાઇસ્કૂલમાં એચ.એસ.સી બોર્ડની પરીક્ષા આપવા અકસ્માત હત્યાનો આરોપી પોલીસ બંદોબસ્ત સાથે આવ્યો

હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષા આપવા આજરોજ ગોધરા સબ જેલમાંથી એક આરોપીને પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો હતો.ગઈકાલથી ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી.બોર્ડની પરીક્ષા લેવાની શરૂઆત થઈ છે. ત્યારે એક યુવક કૃષ્ણકાંત પુનમભાઇ રાઠવા કે જે અકસ્માતના ગુનામાં ગોધરા સબજેલનો આરોપી છે. તેને આજરોજ એચ.એસ.સી.બોર્ડની પરીક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે છોટા ઉદેપુર […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત ગુંડીચા આયુર્વેદિક અને સંખેડા સરકારી હોમિયોપેથિ દવાખાનાનુ લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે કરવામા આવ્યુ

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત ગુંડીચા આયુર્વેદિક અને સંખેડા સરકારી હોમિયોપેથિ દવાખાનાનુ લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા બેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન, જિલ્લા પંચાયત સભ્ય અજુંબેન,ગામના સરપંચ, અને ગામના વડીલો આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat

ખીજડીયા અમરેલી મીટરગેજ માંથી બ્રોડગેજ  રૂપાંતરના ખાતમુહૂર્ત પ્રસંગને આવકારતાં અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો

અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે ખીજડીયા અમરેલી મીટરગેજમાંથી બ્રોડગેજ લાઈનનું ખાતમુર્હુત કરતા વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમની અંદર ગરીમામય ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી  પુરુષોત્તમભાઈ રૂપાલા ,સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા સહિતના આગેવાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું  આ શુભ પ્રસંગે આ બ્રોડગેજ લાઈન માટે દિલીપભાઈ સંઘાણીએ પેલું પોસ્ટકાર્ડ લખ્યું હતું એવું  […]

Gujarat

સાવરકુંડલામાં સર્વ જ્ઞાતિ ૩૧ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન 

બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સાવરકુંડલામાં ૩૧ નવયુગલોના દ્વિતીય સર્વ જ્ઞાતિ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે . આ લગ્નોત્સવ ૧૩-૩-૨૪ ના રોજ યોજાશે. આ લગ્નોત્સવનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન કરાવવાનો છે. આ ઉપરાંત, યુવા પેઢીમાં સમાજ સુધારાના સંદેશાને પ્રોત્સાહન આપવાનો પણ આ એક નમ્ર પ્રયાસ છે. આ લગ્નોત્સવમાં ભાગ લેનારા ૩૧ […]