ગઈકાલે ભારતના ખ્યાતનામ ક્રિકેટ ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને તેના લધુબંધુ ક્રિકેટર કૃણાલ પંડ્યાનું શનિવારે જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું. પરીવાર સાથે આવેલા બંને ક્રિકેટર બંધુ આવી પહોચ્યા બાદ વનતારા જવા માટે પ્રસ્થાન સાથે રિલાયન્સના મહેમાન બન્યા હતા.
Author: JKJGS
ઘરમાં સંગ્રહિત ઉસેલ અને પૂળા સળગી ગયા, ફાયર વિભાગે 4 કલાકે આગ કાબૂમાં લીધી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માનપુર ગામે શનિવારે એક ઘરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. લક્ષ્મણસિંહ ગુલાબસિંહ પરમારના મકાનમાં સંગ્રહિત બે ટ્રેક્ટરથી વધુ ઉસેલ અને ચાર ટ્રેક્ટરથી વધુ પૂળા સહિતનો ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો. આગ લાગતાં જ આજુબાજુના પાડોશીઓ અને ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા. તેમણે આગ બુઝાવવાના પ્રયાસો સાથે સૂકા ઘાસના […]
ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેંગના 7 સામે ગુજસીટોકનો ગુનો દાખલ
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી તીસરી ગલી ગુનાખોરી માટે પ્રચલિત બની છે. ગેંગવોર હોય કે પછી સંગઠીત ગુનો હોય તીસરી ગલીનું નામ પ્રથમ હરોળમાં રહે છે. આ ગેંગના સાગરીતોને પકડીને જેલના હવાલે કરી બીલીમોરા શેહરના નાગરિકોને ગેંગથી છુટકારો અપાવવાનો પોલીસે નિર્ધાર કર્યો છે. જેને લઇને પોલીસે કાર્યવાહી કરી ગેંગના 7 આરોપીઓને પકડીને તેમના […]
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની રજૂઆત બાદ રેલવે મંત્રાલયે આપી મંજૂરી
રેલવે મંત્રાલયે નવસારી જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર કર્યું છે. આ નિર્ણય બાદ નવસારી સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આનંદ વ્યક્ત કર્યો હતો. અઠવાડિયા અગાઉ નવી દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની […]
નવસારી જીએમઇઆરએસ હોસ્પિટલે જાગૃતિ રેલી યોજી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી
વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ, નવસારી ખાતે અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાનની મહત્તા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. અંગદાન એક મહત્વપૂર્ણ સેવા છે જેના દ્વારા એક વ્યક્તિ અનેક લોકોને નવજીવન આપી શકે છે. અંગદાન કરનાર વ્યક્તિના આંખ, કિડની, લીવર, હૃદય જેવા […]
ગુજરાત પ્રદેશ પ્રમુખ-મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા, સંગઠન-સરકારમાં નવાજૂની થશે
આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, DBT મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. સવારે ગુજરાતના CM-PMની […]
ગીર સોમનાથમાં પંદર-વીસ દિવસથી વરસાદ ન આવતાં 1.47 લાખ હેક્ટરમાં થયેલું વાવેતર જોખમમાં, ફુવારા અને ડ્રિપ ઈરિગેશનનો આશરો
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ખાસ કરીને સમુદ્ર કાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ વિલંબ થયો છે. ખેડૂતોએ વાવણી બાદ પાકના પોષણ માટે હાલ ડ્રિપ અને ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં […]
રાણીઆંબા ગરનાળા પાસે ઊંડા ખાડાથી વાહનચાલકોને મુશ્કેલી
રાણીઆંબા ગામ પાસે આવેલા રેલવે ગરનાળા નજીક મોટા પ્રમાણમાં પાણીનો વહેણ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર દક્ષિણ સોનગઢના લગભગ 40 ગામોના લોકો માટે અવરજવરનું મુખ્ય માર્ગ છે. જોકે, ગરનાળા પાસે પસાર થતા રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. અહીં રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકો ખૂબ જ હેરાન […]
સફેદ કિઆ સેલ્ટોસ કારમાંથી 12.16લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ મુદામાલ સાથે 1ની ધરપકડ
તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફે ખાનગી બાતમીના આધારે વ્યારા નજીકથી એક કારમાંથી મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની કુલ 2059 બોટલો મળી આવી હતી. આ બોટલોમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ ભરેલો હતો. ઝડપાયેલ દારૂની અંદાજીત કિંમત ₹7,09,900 થાય છે. ASI બિપીનભાઇ રમેશભાઇ અને HC લેબજીભાઇ પરબતજીને બાતમી મળી […]
ભાવનગરના 1.05 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.26 કરોડ જમા, નવા ટ્રેક્ટર માટે મંજૂરીપત્રો એનાયત
ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ હોલ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”નો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લાના 1.05 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજનાના 20માં હપ્તાની રકમ પેટે કુલ રૂ.26 કરોડ ડી.બી.ટી.થી જમા થયાં હતાં.રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે લાભાર્થી ખેડૂતોને નવા […]










