International

પૂર્વી અમુર ક્ષેત્રમાં રશિયન વિમાન ક્રેશ થતાં ૫૦ મુસાફરોના મોત, પાઇલટની ભૂલની શંકા

ચીનની સરહદ નજીક દેશના પૂર્વીય ક્ષેત્રમાં ૫૦ મુસાફરોને લઈને એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું, જેમાં બધા જ મુસાફરોના મોત થયા હતા. લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલને કારણે આ દુર્ઘટના થઈ હોવાની શંકા છે. રશિયન વિમાન પૂર્વીય અમુર ક્ષેત્રમાં ગુમ થયું હતું. ગુરુવારે રશિયન એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે પૂર્વીય અમુર ક્ષેત્રમાં લગભગ ૫૦ […]

International

કોલંબિયા યુનિવર્સિટીએ ફેડરલ ભંડોળ પુન:સ્થાપિત કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ઇં૨૨૦ મિલિયનનો કરાર કર્યો

કોલંબિયા યુનિવર્સિટીએ બુધવારે જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કરાર પર પહોંચી ગઈ છે, જેમાં ફેડરલ સરકારને ઇં૨૨૦ મિલિયનથી વધુ ચૂકવવા સંમત થઈ છે. આ પગલાનો હેતુ ફેડરલ સંશોધન ભંડોળને પુન:સ્થાપિત કરવાનો છે જે કેમ્પસમાં યહૂદી-વિરોધ પ્રત્યે યુનિવર્સિટીના અપૂરતા પ્રતિભાવના આરોપોને કારણે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, સોદાના ભાગ […]

Gujarat

અષાઢ વદ અમાસ ની પૂર્વ સંધ્યા એ વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ તૈયારી કરતા નવ યુવા ટીમ

અષાઢ વદ અમાસ ના રોજ વડનગર ખાતે આવેલું ઐતિહાસિક પૌરાણિક નગર મા હાટકેશ્વર મહાદેવ મા શ્રાવણ માસના પવિત્ર મા દિવસો શિવ મા થી જીવ થવા નો અનુભૂતિ કરવા નો મહિના ના આગળ દિવસે એટલે કે અમાસ ના દિવસ 108 દિવા પ્રગટાવી ને આરાધના ઉપાસના મંત્ર જાપ આરતી કરી હતી અને હાટકેશ્વરદાદા ને શણગાર પણ કરવામાં […]

Gujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ને બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો

૨૦ થી ૨૨ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ભુજમાં યોજાયેલા ઝોન ૮ (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્ય) ના કેવિકેના વાર્ષિક ઝોનલ વર્કશોપમાં કેવિકે, કોડીનાર ને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો. આ વર્કશોપમાં, આઈસીએઆર અટારીના ડિરેક્ટર, ડૉ. એસ.કે.રોય; ભૂતપૂર્વ ડીડીજી- એગ્રી. એક્સ્ટેન્શન ડૉ. પી. દાસ; ભૂતપૂર્વ ડીડીજી એગ્રી.એક્સ્ટેન્શન ડૉ. કે.ડી. કોકાટે; ભૂતપૂર્વ વીસી બીસીકેવી મોહનપુર, ડૉ. એમ. એમ. અધિકારી; […]

Gujarat

ગોધરામાં પતિના ત્રાસથી કંટાળી મહિલાએ ટ્રેન નીચે પડતું મૂક્યું, સુસાઈડ નોટમાં બીજા લગ્નનો આરોપ

ગોધરામાં એસઆરપી ક્વાર્ટર્સમાં રહેતા અને જાંબુઘોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ બારીયાની પત્ની મંજુલાબેને રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો છે. મંજુલાબેને સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પતિ બીજી પત્ની લાવવા માગે છે. 13 વર્ષ પહેલા શહેરા તાલુકાના ધામણોદની મુવાડી ખાતે મંજુલાબેનના લગ્ન ભુપેન્દ્રસિંહ સાથે થયા હતા. દંપતીને એક દીકરો અને એક દીકરી […]

Gujarat

ગોધરામાં મુખ્ય માર્ગ પરના રખડતા ઢોરોને ટ્રાફિક પોલીસે ખસેડયા

ગોધરા શહેરના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરો અડિંગો જમાવી દેતા અકસ્માત નિવારવા ટ્રાફીક પોલીસ ઢોરોને ખસેડી રહી છે. ત્યારે આજથી પાલિકા રખઢતા ઢોરોને પકડવાની ડ્રાઇવ ચાલુ કરવાનું હોવાનું પ્રમુખ જણાવી રહ્યા છે. ગોધરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે. શહેરના મુખ્ય માર્ગ પર રખડતા પશુઓ અડિંગો જમાવીને બેસી જતા અક્સ્માતનો ભય સતાવી રહ્યો […]

Gujarat

મંત્રી પરશોત્તમ સોલંકીના પ્રેરણાથી નવનિયુક્ત સરપંચોને પ્રશસ્તિપત્ર અને ઘડિયાળ અર્પણ કરાઇ

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિધાનસભા-103 ભાવનગર ગ્રામ્યના 121 નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં સરપંચોને પ્રશસ્તિપત્ર અને ઘડિયાળ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ સરપંચોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે “સુવિધા શહેરની અને આત્મા ગામડાનો” સંકલ્પને સાકાર કરવા […]

Gujarat

ભૂસ્તર વિભાગના અધિકારીએ ડમ્પરને રોકતાં ચાલક રસ્તા પર રેતી ઠાલવી ફરાર, માલિક સામે ફરિયાદ

ભાવનગર જિલ્લાના તળાજા ચોકડી પાસે ભૂસ્તર કચેરીના માઇન્સ સુપરવાઇઝર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક રેતી ભરેલા ડમ્પર ડ્રાઇવરે ચેકિંગ અધિકારીઓને જોઈ ડમ્પર પૂર ઝડપે ભગાડ્યું હતું અને ચાલકે ચાલુ ડમ્પરમાંથી રેતી ખાલી કરી ડમ્પરને લઈને ફરાર થઈ ગયો હતો, જે વેળાએ અધિકારીઓ ડમ્પરની પાછળ દોડાવ્યા હતા પરંતુ ડમ્પર ચાલક ફરાર થઈ જતા અધિકારીએ ડમ્પર […]

Gujarat

116 કન્ડકટરોની તેમના વતના જેતે વિસ્તારમાં આવતા ડેપોમાં મૂકવામાં આવ્યા‎

જામનગર એસટી વિભાગમાં ધણા સમયથી કન્ડકટરોની જગ્યાઓ ખાલી પડી હતી ત્યારે રાજય સરકારના એસટી નિગમ દ્વારા 156 કન્ડકટરોની ફાળવણી કરવામાં આવી છે તેમજ 116 કન્ડકટરોની બદલી પામ્યા છે અને તેમના વતનના વિસ્તારના એસટી વિભાગમાં નિમણુંક પામ્યા છે. જામનગર વિભાગના અલગ-અલગ પાંચેય ડેપોમાં મેરીટ મુજબ તેની માંગણી પ્રમાણે મૂકવામાં આવ્યા છે. જામનગર એસટી વિભાગમાં કન્ડકટરોની ઘટ […]

Gujarat

નવા રણુંજાના રામદેવપીરના મંદિરે ત્રિ-દિવસીય મેળો પરંપરાગત રીતે ઉજવવા માગ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા રણુજા ગામે 50 વર્ષ થયા રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય છે ત્યારે આ વર્ષે કાલાવડ મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગ્રામજનો દ્વારા આ લોકમેળો ટેન્ડર પ્રક્રિયાથી ન થાય તે બાબતે સખત વિરોધ કરવામાં આવ્યો છે અને જો આ તંત્ર દ્વારા ટેન્ડર […]