NMEO-OPના વિવિધ ઘટકો હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય ચૂકવાઈ ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવી પડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ થાય છે. ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારીને આ પડકારનો […]
Author: JKJGS
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીને કો-ઓપરેટીવ સેક્ટરમાં ‘સહકાર સે સમૃદ્ધિ’થી દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો – દૂધ ઉત્પાદક સહકારી સંઘો – ખેતી બેંક – ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સહભાગી થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. ૨૦૨૫નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ […]
ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ ની જાેગવાઇઓમાં સુધારા સંદર્ભે વાંધા- સુચનો મેળવવાની અવધી લંબાવવામાં આવી
રાજ્યના નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાનો અભિપ્રાય આપી શકશે ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જાેગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર […]
ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બ ધમકી: બે મહિનામાં ત્રીજી વખત હડકંપ, પોલીસની તપાસ શરુ કરી
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. હાઈકોર્ટના ઈ-મેઈલ પર આ ધમકી મોકલવામાં આવી હતી. આ ધમકી ભરેલો ઈ-મેલ મળ્યો છે, જેના કારણે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા હાઈકોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો છે. આ બે મહિનામાં ત્રીજી વખત છે જ્યારે હાઈકોર્ટને આવી ધમકી મળી હોય. અજાણી વ્યક્તિ દ્વારા […]
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા, વાલીઓના ટોળાએ હેડમાસ્ટર પર હુમલો કરીને શાળામાં કરી તોડફોડ
સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવ્વાદમાં અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં ધોરણ ૮ના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. એક સામાન્ય ધક્કા-મુક્કીની ઘટનાએ આ ગંભીર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસે […]
આવતા મહિને વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ યોજાશે
આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ૦૭ સપ્ટેમ્બરના (Chandra Grahan 2025) રોજ થશે. આ ગ્રહણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશિમાં થવાનું છે. ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રનો યુતિ કુંભ રાશિમાં બનશે. ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) એક ખગોળીય ઘટના હોવાની સાથે મેષથી મીન રાશિ સુધી અસર કરશે. જ્યોતિષીની ગણતરીઓ અનુસાર, ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) નો શુભ […]
અમરેલીમાં ધોધમાર વરસાદ; રાજુલાના ધાતરવાડી ડેમ-૨માં પાણીની ભારે આવક થતા ૧૦ દરવાજા ખોલાયા
છેલ્લા ૪૮ કલાકથી અમરેલીમાં અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદ ના કારણે અનેક લોકોને મોટી તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રાજુલાના ધાતરવાડી ડેમ-૨માં પાણીની ભારે આવક થઈ છે.જેના પગલે ડેમના ૧૦ દરવાજા ખોલાયા છે. જાફરાબાદના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ જામ્યો છે. ધોધમાર વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધી છે. […]
જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા; ૨ કલાકમાં ૮ ઈંચ વરસાદ
જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ તારાજી સરજી છે, મેંદરડામાં સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળમગ્ન બન્યા છે. ધોધમાર વરસાદ વરસતા નદી- નાળા તો છલકાયા જ છે. પરંતુ રસ્તાઓ પર નદીઓ વહેલી થઈ છે. આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સ્થિતિ વિકટ બની છે. મેંદરડાથી પસાર થતી મધુવંતી નદીમાં […]
કોલકાતા જતી એલાયન્સ એરની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ પાછી ફરી, ગુવાહાટી એરપોર્ટ પર કટોકટી લાગુ
બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલકાતા જતી એલાયન્સ એરની ફ્લાઇટ ટેકનિકલ ખામી શોધાયા બાદ અધવચ્ચેથી ગુવાહાટી પરત ફરી હતી. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના ક્રૂ અને મુસાફરો સુરક્ષિત હતા.(પ્રતિનિધિત્વાત્મક) ડાયવર્ઝન બાદ લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર “પૂર્ણ પાયે કટોકટી” લાગુ કરવામાં આવી હતી. “ટેકનિકલ ખામીને કારણે ય્છેં-ઝ્રઝ્રેં ફ્લાઇટને ડાયવર્ઝન બાદ, ૨૦ ઓગસ્ટના રોજ […]
ગોવાના પ્રધાન એલેક્સો સિક્વેરા કેબિનેટમાંથી લીધી વિદાય, તેમના સ્થાને દિગંબર કામત લેવામાં આવશે
ગોવાના પર્યાવરણ મંત્રી એલેક્સો સેક્વીરાએ બુધવારે મંત્રીમંડળમાં ફેરફાર પહેલા પ્રમોદ સાવંતની ટીમમાંથી રાજીનામું આપી દીધું, “વ્યક્તિગત” કારણોસર. સેક્વીરા ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ ટિકિટ પર લડ્યા હતા, સપ્ટેમ્બર ૨૦૨૨ માં ભાજપમાં જાેડાતા આઠ ધારાસભ્યોમાંના એક હતા. ત્યારબાદ તેમને નવેમ્બર ૨૦૨૨ માં રાજ્ય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. કેબિનેટમાં, સેક્વીરાના સ્થાને કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત, […]










