સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના કુલ 668 લાભાર્થીઓને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’, ‘નિરાધાર વૃદ્ધ’ અને ‘દિવ્યાંગ સહાય યોજના’ હેઠળ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ […]
Author: JKJGS
માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજીના વિવાહનું આયોજન
માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજી અને રુકમણીજીના વિવાહનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. “માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રુકમણી અને વર દુલ્હો ભગવાન” પંક્તિઓ સાથે આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રુકમણી મંદિરના મહંત શ્રી સુધીરભાઈ નિમાવતે આ વર્ષના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. આ પરંપરાગત ઉત્સવમાં, માધવરાયજીના મંદિરેથી ભગવાન ચોરી મંડપે પધારે […]
પોરબંદર LCB નું ગાંધીનગરમાં ઓપરેશન
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ સોનગેલા (ઉંમર ૨૬, રહે. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) અને રાજુ બાલુભાઈ પરમાર (ઉંમર ૩૫, રહે. છાંયા નવાપરા, પોરબંદર)નો […]
જોગવડ સીમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
મેઘપર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મૃતદેહ અંગે એક બનાવ નોંધવામાં આવ્યો છે. જોગવડ ગામની સીમમાં આવેલી જામ ધર્માદા ટ્રસ્ટની પડતર જમીન પરથી એક અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટના 1 માર્ચ, 2026ના રોજ સાંજે 4 વાગ્યા પહેલાં કોઈ પણ સમયે બની હોવાનું મનાય છે. અવાવરુ જગ્યામાં ઝાડી-ઝાખરમાંથી આ મૃતદેહ મળ્યો હતો. મેઘપર પોલીસે […]
દરેડ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ
જામનગરના દરેડ રોડ પર પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વેડફાયું હતું. શહેરના છેવાડે આવેલા અને વ્યસ્ત દરેડ રોડ પર અચાનક આ ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પાઇપલાઇનમાં પાણીનું દબાણ વધુ હોવાથી પાણીના […]
જામનગરના રામેશ્વરનગરમાં તલવાર-પાઈપથી પાંચ શખ્સોએ માર માર્યો
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ‘તું અમારી વાતો કરે છે’ તેવી શંકા રાખી પાંચ શખ્સોએ એક યુવાન પર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના […]
પોલીસ કમિશનર ઓફિસથી માત્ર 600 મીટરમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ
પખવાડિયામાં બીજી વખત રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી માત્ર 600 મીટરના અંતરે યાગનિક રોડ પર ઇમ્પિરીયલ હોટેલ સામે આવેલ માધવ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ડબ્બા ટ્રેડિંગ કરતા સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાકેશ પોપટ, મુકેશ વિરડીયા અને મહેશ પરમારની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કુલ […]
ગૌ-હત્યા સામે ઝીરો ટોલરન્સ: 18થી વધુને આજીવન કેદ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના દુધરેજ ધામ સ્થિત શ્રી વડવાળા મંદિર ખાતે આયોજિત ‘હોળી મહોત્સવ’માં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ગૌ-હત્યારાઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો અને યાત્રાધામના વિકાસ માટે વધારાના ભંડોળની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો પ્રત્યે અત્યંત કઠોર છે. […]
સિટી બસ સેવા મુદ્દે રાજકારણ ગરમાયું
ભાવનગર શહેરમાં લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલી સિટી બસ સેવા અત્યારે શહેરના વિકાસને બદલે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે. બસ સેવાના રૂટ અને તેની પહોંચને લઈને વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે શાસક પક્ષે તેને આયોજનબદ્ધ પ્રક્રિયા ગણાવી વિપક્ષ પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે ભાવનગર શહેરમાં ઘણાં વર્ષો બાદ પ્રધાનમંત્રી ઈ-બસ સેવા […]
જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાનું દહન
જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા આયોજિત હોલિકા મહોત્સવમાં 25 ફૂટ ઊંચી હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ વિવિધ કરતબ કર્યા હતા. ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરા જાળવી રાખે છે. દર વર્ષે જામનગરમાં સૌથી મોટા હોલિકાના પૂતળાનું નિર્માણ કરવામાં આવે છે. આ મહોત્સવ […]










