હળવદમાં વ્યાજખોરીના એક કેસમાં પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ એક આધેડ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા આપી, તેમની પાસેથી બે એક્ટિવા, એક બાઇક પડાવી લીધા હતા અને મકાનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. આધેડે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. હળવદની હરી દર્શન સોસાયટીમાં રહેતા સરકારી કર્મચારી રાજેશ ભીમજી […]
Author: JKJGS
કાળીયાબીડ લખુભા હોલ પાસે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશને કાળીયાબીડ વિસ્તારમાં આવેલા લખુભા હોલ ખાતેથી થયેલી સોનાના ચેઇનની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસે ચોરી કરનાર મહિલા આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ, તા.23-9ના રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં B.N.S. કલમ-303(2) મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. […]
જામનગરની જિલ્લા જેલમાં નવરાત્રીની ઉજવણી
જામનગર જિલ્લા જેલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા જેલમાં નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીની આરતી અને ગરબે રમવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં કેદી માતાજીની આરાધના સાથે ગરબે રમે છે. બંદીવાન કેદી ભાઈઓ સાથે જિલ્લા ગાર્ડે પણ માતાજીની આરાધના કરી અને મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. જામનગર જિલ્લા જેલમાં નવરાત્રી પર્વ દરમિયાન ખાસ […]
જામનગરમાં પ્રાચીન ગરબાની જમાવટ
જામનગરના આઈ શ્રી સોનલ ધામ મંદિર ખાતે છેલ્લા 36 વર્ષથી ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રિમાં પ્રાચીન ગરબાઓ રજૂ કરવામાં આવે છે તેમજ પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવે છે. જેમાં મણીયારો રાસ સૌનું મન મોહી લે છે. અહીં ચારણ બાળાનો, ત્રિશુલ રાસ તેમજ ચારણ યુવાનો દ્વારા મણીયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. […]
નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની ની પુજા કરવામાં આવે છે
નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાના સ્વરૂપ મા કાત્યાયનીની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની તેમની તપસ્યાના પરિણામે કાત્યાયન ઋષિની પુત્રીના રૂપમાં પ્રગટ થઈ, આ સ્વરૂપમાં તેમણે મહિષાસુરનો વધ કર્યો. દેવીની ઉપાસના કરવાથી વ્યક્તિ સરળતા, ધર્મ, સંપત્તિ, કામ અને મોક્ષની ચારેય પ્રાપ્તિ કરે છે. માતાની પૂજાની જેમ જ માતાને નિયમ પ્રમાણે અન્નકૂટ અર્પણ કરવો […]
“ટૂંકી, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ દ્વારા નદી સંરક્ષણને આગળ ધપાવવામાં આવી રહ્યું છે”: શ્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) દ્વારા આયોજિત નદી ઉત્સવની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન આજે નવી દિલ્હીના જનપથ સ્થિત IGNCA ખાતે જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં ઇસ્કોનના આધ્યાત્મિક નેતા શ્રી ગૌરાંગ દાસ; સાધ્વી વિશુધાનંદ ભારતી ઠાકુર; IGNCAના પ્રમુખ શ્રી રામબહાદુર રાય; અને IGNCAના […]
લદ્દાખ હિંસામાં ૪ લોકોના મોતના બે દિવસ બાદ સોનમ વાંગચુકની ધરપકડ
સોનમ વાંગચુકની ધરપકડ બાદ લેહમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત લેહમાં શાંતિપૂર્ણ બંધ હિંસક બન્યાના થોડા દિવસો પછી, જેમાં ચાર લોકોના મોત અને ૭૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા, શુક્રવારે હવામાન કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી અને કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જાે આપવાની માંગ કરી રહેલા વિરોધીઓને ઉશ્કેરવા બદલ કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ […]
રાજસ્થાનના જેસલમેરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ISI સાથે સેનાની ગુપ્ત માહિતી શેર કરવા બદલ પાકિસ્તાની જાસૂસની ધરપકડ
મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે ગુરુવારે એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી હતી, જેણે ભારતીય સેના વિશેની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે શેર કરી હતી. રાજ્ય ગુપ્તચર અધિનિયમ, ૧૯૨૩ હેઠળ આ ધરપકડ કરવામાં આવી હતી. CID ટીમ ખાનની પ્રવૃત્તિઓ શંકાસ્પદ લાગતા ઘણા સમયથી તેની દેખરેખ રાખી રહી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું […]
PM મોદીએ મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના શરૂ કરી: બિહારની ૭૫ લાખ મહિલાઓને ૧૦,૦૦૦ રૂપિયા મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂ કરી અને બિહારની ૭૫ લાખ મહિલાઓના બેંક ખાતામાં સીધા ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા, જે કુલ ૭,૫૦૦ કરોડ રૂપિયા થાય છે. પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અન્ય મંત્રીઓની હાજરીમાં દિલ્હીથી વર્ચ્યુઅલી આ યોજના શરૂ કરી. મહિલાઓના આશીર્વાદ શક્તિનો મોટો સ્ત્રોત છે: […]
મોદી-પુતિન ફોન કોલ પર નાટો ચીફના ‘બેદરકાર‘ દાવાને ભારતે ફગાવી દીધો
ભારતે યુક્રેન મુદ્દા પર ભારત અને રશિયા વચ્ચે ‘વાટાઘાટો‘ અંગે નાટો સેક્રેટરી-જનરલ માર્ક રુટે દ્વારા કરવામાં આવેલા દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. રુટેએ સૂચવ્યું હતું કે યુએસ ટેરિફ દ્વારા ભારત પર યુક્રેનમાં તેની વ્યૂહરચના અંગે રશિયા પાસેથી સ્પષ્ટતા માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જાેકે, વિદેશ મંત્રાલય એ આ દાવાઓને “તથ્યપૂર્ણ રીતે ખોટા અને સંપૂર્ણપણે […]










