છોટાઉદેપુર એ મધ્ય પ્રદેશને અડીને આવેલ શહેર છે. અને અહીંના એસ.ટી.બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. અને મધ્યપ્રદેશ તરફ થી આવતા મુસાફરોની ખાસ સંખ્યા જોવા મળે છે. પરંતુ છોટાઉદેપુર એસ.ટી.ડેપોની ખાસ અગવડતા એ છે કે અહીં આવતા મુસાફરોને એસ.ટી.ડેપો માં બેસવા માટે બાકડા ફુલ થઈ જતા મુસાફરો એસ.ટી.ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને […]
Author: JKJGS
“ગેરમેળા” માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ”નું આયોજન- જિલ્લા કલેકટર
ગેર મેળા ૨૦૨૫ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ વર્ષે “ગેર મેળા” તા.૧૬ માર્ચના રોજ યોજાશે. ગેર માટે દોડ વિશેની માહિતી આપતા જિલ્લા કલકેટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે આ વર્ષે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ગેરમેળા”ની સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં […]
છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમલોગેશન ની નોંધ બાબતેની કાર્યવાહી કરી
છોટાઉદેપુર નવ નિયુક્ત કલેકટર ગાર્ગી જૈન જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. અને સમસ્યા તથા પ્રજાની તકલીફોને સમજી તે સમસ્યાનું નિરાકરણ થાય તે બાબતે કાર્યવાહી કરી રહ્યા છે. આજરોજ છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમોલગેશન ની નોંધ બાબતેની કાર્યવાહી કરી જ્યારે જમીનોના નકશા તપાસી પાણીની ટાંકીઓ ચેક કરી હતી. […]
કવાંટનાં મુખ્ય બજારમાં ૨૮ જગ્યા પર પરંપરાગત ભીતચિત્રો
કવાંટ ખાતે દોરાતા ભીતચિત્રોનું નિરિક્ષણ કરતા જિલ્લા સમાહર્તા ગાર્ગી જૈન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ વર્ષે “ગેર મેળા” તા.૧૬ માર્ચના રોજ યોજાશે. “ગેર મેળા”ને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃખલામાં મુકવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવાવમાં આવી રહ્યો છે. જેની કવાંટ ખાતે તડામાર […]
ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા “માતૃભાષા દિવસની” ઉજવણી કરવામાં આવી
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર,એસ એફ હાઇસ્કૂલ છોટાઉદેપુર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજ તા.૨૧-૦૨-૨૦૨૫ ના રોજ એસ એફ હાઇસ્કૂલ ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી ના દિવસે વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ “મળી માતૃભાષા મને […]
પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહવાન કરતા- દીલેશભાઈ રાઠવા
રસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી પણ ખેડ ન થતી અત્યારે જમીનમાં હળ પણ હાકી શકાય છે – દીલેશભાઈ રાઠવા ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે કવાંટ તાલુકાના ગુગલીયા ગામના દીલેશભાઈ રાઠવા. દીલેશભાઈ સાથેની મુલાકાત […]
સાવરકુંડલા નગરપાલિકા ખાતે સફાઈ કામદાર ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
સાવરકુંડલા ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બ્લોક હેલ્થ કચેરીનાં ડો.મીનાના માર્ગદર્શન નીચે ડો.સર્વશ્રી ઋતિક પટેલ , ડોક્ટર સમીર સવટ ડો.વિવેક લાડવા, ડો. ભૂમિ પટેલ, ડો.જીજ્ઞા પટેલ , ડો.મનીષા પટેલ સાથે આરોગ્ય કર્મચારીઓએ નગરપાલિકાના ૮૦ જેટલા સફાઈ કર્મચારી મિત્રોનું ટોટલ બોડી ચેક અપ કર્યું હતું અને આરોગ્ય […]
સાવરકુંડલાની કબીર ટેકરી આશ્રમ દ્વારા જુનાગઢમાં ભવનાથમાં રાવટી શરૂ ચા પાણી, ભજન, ભોજન, ફરાળ, નાસ્તા સાથેની સુવિધા ઉપલબ્ધ
છેલ્લા ૫૫ વર્ષથી આ સંસ્થા દ્વારા જુનાગઢ ખાતે મહા શિવરાત્રી મેળામાં ભાવિકો માટે આ વ્યવસ્થા કરવામાં આવે છે સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલી કબીર ટેકરી આશ્રમ દ્વારા જુનાગઢ ખાતે ભવનાથ મેળામાં મહાશિવરાત્રી નિમિત્તે ચા પાણી, ભોજન ફરાળ, પાગરણ સમેત વ્યવસ્થા ધરાવતી રાવટી શરૂ મહાશિવરાત્રી દરમિયાન જુનાગઢ ખાતે આ પરંપરા ૧૯૭૦થી અવિરત શરૂ છે. આ મહાશિવરાત્રીના મેળામાં […]
ઓલપાડ પંથકમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
જેમનાં પરાક્રમની ગાથાઓ યુગો સુધી હિંદભૂમિ પર ગવાતી રહેશે તેવાં અદ્વિતીય યોદ્ધા, બેજોડ પ્રશાસક, હિંદ સ્વરાજ્યનાં પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિની ઓલપાડ પંથકમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાનાં અટોદરા સ્થિત ઓરબીટ સ્કૂલ ચોકડીથી નીકળી ક્રિષ્ના રેસીડેન્સી સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાભાઈ વકારે, વિનાયક વાનખેડે, સંતોષ […]
લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી
એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં ધ્રોલ સ્થાનિક લોકો અને જુદી જુદી શાળાના બાળકોને માતૃભાષાનું મહત્વ , પોસ્ટકાર્ડ લેખન કઈ રીતે કરવું ???, તેમાં સરનામાની વિગતો વિશે માહિતી કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા […]










