ગોવાથી બે લોકોની ધરપકડ સાથે, દિલ્હી પોલીસે શુક્રવારે આંતરરાજ્ય સાયબર-છેતરપિંડી અને રોકડ-રૂપાંતરણ રેકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે નેટવર્ક દ્વારા રૂટ કરાયેલા લગભગ ?૪૦ લાખના વ્યવહારોનો પણ પર્દાફાશ થયો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના રહેવાસી આરોપી અર્જુન લાલ યાદવ અને દીપેન્દ્ર મહાલાને બહુ-રાજ્યીય કામગીરી બાદ દક્ષિણ ગોવાના મડગાંવથી ધરપકડ […]
National
વેબસાઇટ પર અવરોધો વચ્ચે CBSEએ ધોરણ ૧૨ ની ઉત્તરવહીની નકલો મેળવવાની છેલ્લી તારીખ લંબાવી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ XII બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી ફોટોકોપી મેળવવાની છેલ્લી તારીખ લંબાવી છે. એક અખબારી યાદીમાં, બોર્ડે જણાવ્યું હતું કે CBSE વેબસાઇટ છેલ્લા કેટલાક દિવસોથી અભૂતપૂર્વ ટ્રાફિકનો સામનો કરી રહી છે અને અનધિકૃત દખલગીરીના અનેક પ્રયાસો પણ જાેવા મળ્યા છે, જેના કારણે તે વિક્ષેપોનો ભોગ બની રહી છે. […]
ત્વિષા શર્માનું બીજું પોસ્ટમોર્ટમ દિલ્હી એઈમ્સ ટીમ દ્વારા કરવામાં આવશે: મધ્યપ્રદેશ હાઈકોર્ટ
૧૨ મેના રોજ ત્વિષા શર્માના મૃત્યુ બાદથી ફરાર પતિએ જબલપુર કોર્ટમાં સરન્ડર કર્યું: વકીલ મધ્યપ્રદેશ હાઈકોર્ટે શુક્રવારે ત્વિષા શર્માનું બીજું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ના ડોકટરોની ટીમ દ્વારા ઓટોપ્સી કરવામાં આવશે. કોર્ટે જાેકે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ ફક્ત ભોપાલમાં જ કરવામાં […]
કોંગ્રેસના દિગ્ગજ નેતા તિરુવનચૂર રાધાકૃષ્ણન કેરળના સ્પીકર તરીકે ચૂંટાયા
કોંગ્રેસના દિગ્ગજ નેતા તિરુવનચૂર રાધાકૃષ્ણન શુક્રવારે ૧૬મી કેરળ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા. ૭૬ વર્ષીય રાધાકૃષ્ણન આઠ વખત ધારાસભ્ય રહ્યા છે અને વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે. સ્પીકરના પદ માટેની ચૂંટણીમાં, રાધાકૃષ્ણનને ૧૦૧ મત મળ્યા, જ્યારે સીપીઆઈ(એમ)ના નેતા એસી મોઈદીનને ૩૫ અને ભાજપના ધારાસભ્ય બીબી ગોપાકુમારને ત્રણ મત મળ્યા. ૧૪૦ સભ્યોના ગૃહમાં કોંગ્રેસના નેતૃત્વ […]
૨૦૨૦ દિલ્હી રમખાણ કેસ: ઉમર ખાલિદને તેની માતાની સર્જરી સંદર્ભે ત્રણ દિવસ માટે દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ત્નદ્ગેંના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કાર્યકર્તા ઉમર ખાલિદને ૨૦૨૦ના ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોમાં મોટા કાવતરાનો આરોપ લગાવતા ેંછઁછ કેસમાં ત્રણ દિવસ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને જસ્ટિસ મધુ જૈનની બનેલી ડિવિઝન બેન્ચે તેમને ૧ જૂનથી ૩ જૂન દરમિયાન કડક શરતો પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે […]
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ૨૪ સીટ માટે ચૂંટણી કાર્યેર્ક્મ ની જાહેરાત કરી
૧૦ રાજ્યોમાં ૨૪ રાજ્યસભા બેઠકો માટે ૧૮ જૂને ચૂંટણીની જાહેરાત કરી, તે જ દિવસે પરિણામો આવશે કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે ૧૦ રાજ્યોમાં ૨૪ રાજ્યસભા બેઠકો માટે મતદાન ૧૮ જૂને થશે અને તે જ દિવસે સાંજે ૫ વાગ્યે પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણી ૧૦ રાજ્યોમાં […]
બોર્ડર વિસ્તારને વધુ સુરક્ષીત કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ કરી મોટી જાહેરાત
ઘૂસણખોરીને રોકવા માટે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદો પર ‘સ્માર્ટ બોર્ડર‘ પ્રોજેક્ટ શરૂ કરાશે: શ્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંકેત આપ્યો હતો કે, દેશની સરહદો ટૂંક સમયમાં સંપૂર્ણ “સ્માર્ટ બોર્ડર” મોડેલ હેઠળ વિકસાવવામાં આવશે. મ્જીહ્લના સ્થાપક નિર્દેશક કે.એફ. રુસ્તમજીના સન્માનમાં આયોજિત રૂસ્તમજી મેમોરિયલ લેક્ચરમાં બોલતા, તેમણે કહ્યું કે ભારત સરહદ સુરક્ષા વધારવા માટે […]
ભારત ૨૬ મેના રોજ ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે
ભારત દ્વારા મંગળવારે (૨૬ મે) ના રોજ ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ (ક્વાડ) રાષ્ટ્રોના વિદેશ પ્રધાનોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે, જ્યાં પશ્ચિમ એશિયા કટોકટીના પરિણામો અને ઇન્ડો-પેસિફિકમાં વિકસતી પરિસ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે અનેક પ્રદેશોમાં ભૂ-રાજકીય તણાવ વધી રહ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં […]
રક્ષા મંત્રી અને કોરિયા પ્રજાસત્તાકના દેશભક્ત અને અનુભવી સૈનિકોના બાબતોના મંત્રીએ સિઓલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
કોરિયન યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોની બહાદુરી, બલિદાન અને માનવતાવાદી યોગદાનને યોગ્ય અંજલિ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ અને કોરિયા પ્રજાસત્તાક (ઇર્દ્ભ) ના દેશભક્ત અને અનુભવી સૈનિકોના બાબતોના મંત્રી શ્રી ક્વોન ઓહ-ઇયુલે ૨૧ મે, ૨૦૨૬ ના રોજ સિઓલના ઇમજિંગાક પાર્ક ખાતે સંયુક્ત રીતે ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. કોરિયન યુદ્ધની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સ્મરણોત્સવના […]
DRI એ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઈ-સિગારેટ દાણચોરી રેકેટ પર મોટી કાર્યવાહીમાં રૂ. ૧૨૦ કરોડની કિંમતની ૩,૦૦,૦૦૦ ઈલેક્ટ્રોનિક સિગારેટ/વેપ્સ જપ્ત કરી
પ્રતિબંધિત નિકોટીન ઉત્પાદનોની ગેરકાયદેસર આયાત સામેના એક મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનેક બંદરો, એરપોર્ટ અને ICDs (ઇનલેન્ડ કન્ટેનર ડેપો) પર તેની કામગીરી દરમિયાન મોટા પાયે ચાલતા ઈ-સિગારેટ (વેપ) ની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કામ કરીને, DRI એ […]










