કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૨૭ ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે પ્રશ્નાવલીની વિગતો આપતું એક જાહેરનામું બહાર પાડ્યું. આ તબક્કો દેશભરમાં ઘરયાદીકરણ અને ઘર ગણતરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા જારી કરાયેલ ગેઝેટ જાહેરનામા અનુસાર, નાગરિકોને તેમના ઘરો વિશે ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોમાં ઘરના માળ અને છત […]
National
ઓડિશા સરકારે ગુટખા, પાન મસાલા અને તમામ તમાકુ ઉત્પાદનોના વેચાણ, વિતરણ પર પ્રતિબંધ મૂક્યો
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારે રાજ્યમાં તમાકુ અને નિકોટિન સંબંધિત તમામ ઉત્પાદનોના ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ર્નિણય લીધો છે. સરકારે લોકોને નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે અને ચેતવણી આપી છે કે જાે નવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં […]
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને મિલકતના કેસોમાં બનાવટી કાર્યવાહી ઘટાડવા બ્લોકચેનનો ઉપયોગ કરવા સલાહ આપી
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે મિલકતના વ્યવહારોમાં બનાવટી પ્રક્રિયા ઘટાડવા માટે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ ખૂબ જ જરૂરી સુધારા હાથ ધરવા સલાહ આપી છે. ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહનની બેન્ચે જણાવ્યું હતું કે, “આ કોર્ટ બ્લોકચેન જેવી સુરક્ષિત, ચેડા-પ્રૂફ ટેકનોલોજીનો […]
પ્રધાનમંત્રી મોદીએ કેરળમાં કલ્યાણકારી યોજનાઓનો શુભારંભ કર્યો: ‘વિકાસ માટેના કેન્દ્રના પ્રયાસોને નવી ગતિ મળી‘
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી, એમ કહીને કે રાજ્યના વિકાસ માટે કેન્દ્રના પ્રયાસો વિશે લોકોમાં એક નવી અનુભૂતિ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે, કેરળના વિકાસ માટે કેન્દ્રના પ્રયાસોને એક નવી ગતિ મળી છે. આજથી, કેરળની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત થઈ છે. […]
પ્રધાનમંત્રી મોદીએ કેરળમાં ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચૂંટણી જંગમાં રહેલા રાજ્યમાં નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી હતી, જેમાં ભાજપ તેમના માટે એક વિશાળ રોડ શો સહિત ભવ્ય સ્વાગતનું આયોજન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમણે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે પ્રાદેશિક રેલ કનેક્ટિવિટી વધારવા માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત ચાર નવી ટ્રેન […]
ઉત્તર પ્રદેશ ૨૩ જાન્યુઆરીએ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ દરમિયાન ૭૫ જિલ્લાઓમાં બ્લેકઆઉટનું પાલન કરશે
ઉત્તર પ્રદેશમાં, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ, ૨૩ જાન્યુઆરીના રોજ બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાશે. કટોકટી દરમિયાન દુશ્મન દેશ તરફથી હુમલાનો સામનો કરવા માટે તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના તમામ ૭૫ જિલ્લાઓમાં એક સાથે બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે. બુધવારે સાંજે, લખનૌમાં પોલીસ લાઇનમાં અચાનક વિસ્ફોટ, હવાઈ હુમલો અને સાયરનનો અવાજ આવતાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પાર્કમાં બેઠેલા […]
૨૬ વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા પ્રજાસત્તાક દિવસની પરેડમાં સંપૂર્ણ પુરુષ ટુકડીનું નેતૃત્વ કરશે.
જમ્મુ અને કાશ્મીરની ૨૬ વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા, ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સંપૂર્ણ પુરુષ CRPF ટુકડીનું નેતૃત્વ કરીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આ એક ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે આ પહેલી વાર હશે જ્યારે કોઈ મહિલા અધિકારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં CRPF પુરુષ ટુકડીનું નેતૃત્વ કરશે. […]
ટેકનિકલ ખામી બાદ IAF ના બે સીટર વિમાનનું યુપીના પ્રયાગરાજમાં ‘ફોર્સ લેન્ડિંગ‘, પાઇલટ્સ સુરક્ષિત
ભારતીય વાયુસેનાના બે સીટવાળા માઇક્રોલાઇટ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ બુધવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક ર્નિજન વિસ્તારમાં “ફોર્સ લેન્ડિંગ” કરવામાં આવ્યું હતું, એમ ૈંછહ્લ એ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત છે. X પરની એક પોસ્ટમાં, IAF એ એમ પણ કહ્યું હતું કે ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો […]
નોઈડામાં ટેક્નિશિયનનું મૃત્યુ: યોગી સરકાર સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બાંધકામ સાઇટ્સ સામે કડક કાર્યવાહી કરશે
નોઇડાના સેક્ટર ૧૫૦ માં એક બાંધકામ સ્થળે પાણી ભરેલા ખાડામાં ૨૭ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરની કાર ખાબકવાથી થયેલા મૃત્યુ બાદ, યોગી સરકાર સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બાંધકામ સાઇટ્સ સામે મોટી કાર્યવાહી કરી રહી છે. નોઇડામાં સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ રિયલ એસ્ટેટ કંપનીઓ સામે FIR નોંધવામાં આવી હતી. વધુમાં, એમ્સેડ વિશટાઉન પ્રા. લિ. અને લોટસ ગ્રીન […]
સેક્ટર ૩૨ ફાર્મસી ફાયરિંગ બાદ ચંદીગઢ પોલીસે એન્કાઉન્ટરમાં ૨ ગેંગસ્ટરોને પકડ્યા
બુધવારે (૨૧ જાન્યુઆરી) ચંદીગઢમાં સેક્ટર ૩૯ નજીક પોલીસ એન્કાઉન્ટર બાદ સેક્ટર ૩૨ ફાર્મસીમાં ખંડણી માટે કરવામાં આવેલા ગોળીબાર સાથે જાેડાયેલા બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. જવાબી ગોળીબાર દરમિયાન રાહુલ અને રોકીને પગમાં ઈજા થઈ હતી અને હવે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (ઝ્રહ્લજીન્) ટીમો ઘટનાસ્થળની તપાસ કરી રહી છે ત્યારે તેઓ પૂછપરછનો સામનો કરી રહ્યા […]










