*રાજકોટ શહેર પોલીસ કમિશનરે ફરિયાદ માટે લોકોને રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેઇલ કે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ.*
*રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરવા માટે અપીલ કરી છે. જે માટે પોલીસ કમિશ્નરે રાજકોટના તમામ પોલીસ મથકોના ઇ-મેઇલ આઇ-ડી અને મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જેથી રાજકોટવાસીઓ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર થકી ફરીયાદ કરી શકે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૦૦ને પાર થઇ ગઇ છે. બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીના ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*