*રાજકોટ શહેર આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ ૪.૮ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો.*
*રાજકોટ શહેર તા.૧૬.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ ૪.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપ ના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની ત્વરાએ વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેકટરો ને આપી હતી. રાજકોટ શહેરમાં અનુભવાયો ભૂકંપ નો આંચકો સવારના ૭ વાગ્યે ૩૮ મિનિટ આસપાસ અનુભવાયો ભૂકંપનો આંચકો. સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. ૩ થી ૪ સેકન્ડ સુધી અનુભવાયો ભુકંપનો આંચકો ૪.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. રાજકોટ શહેર તાલુકાનું ગામ ભાયાસર કેન્દ્રબિંદુ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


