અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૦ એ પહોંચ્યો : ૨ દર્દી સાજા થયા
અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે એક મહિલાનું નિધન
ગઈકાલે અવસાન પામેલા ૫૫ વર્ષીય મહિલાનો આજે કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
અમરેલી, તા: ૩૧ મે
ગઈકાલે તા. ૩૦ મે ના અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયેલ છે. જેમનો કોરોના રિપોર્ટ આજે તા. ૩૧ મે ના પોઝિટિવ આવ્યો છે. આમ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૦ કેસ નોંધાયેલ છે. જેમાંથી એક દર્દીનું દુઃખદ અવસાન થયું છે અને ૨ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.
ગજેરાપરા વિસ્તારના મહિલા ૨૮ મે ના અમદાવાદથી અમરેલી આવ્યા હતા. તેમજ આ મહિલા હાઈપર ટેંશન અને અસ્થમાના દર્દી હતા અને વધુ સારવાર અર્થે અમદાવાદ ગયા હતા પરંતુ લોકડાઉન લાગુ કરાતા ત્યાં જ રહ્યા હતા. ત્યારબાદ અમરેલી પરત આવ્યા બાદ આ મહિલાને ગઈકાલે સવારે દાખલ કરવામાં આવ્યા ત્યારે જ એમની પરિસ્થિતિ ઘણી ગંભીર હતી.
હાલ, આ મૃતક દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી ચાલી રહી છે. તેમજ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


