આજરોજ માન.ડીડીઓ સા.શ્રી, સીડીએચઓશ્રી ડો એચ એફ પટેલ સાહેબ, ડો જયેશ પટેલ સાહેબ ઈએમઓશ્રી ડો એ કે સિંગ સાહેબ તેમજ ટીએચઓશ્રી ડો એસ બી મીના સાહેબ સાવરકુંડલાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, તાલુકા આરોગ્ય કચેરી સાવરકુંડલા અને પોલીસ તંત્રની મદદથી તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ (COTPA-2003) કાયદાની અમલવારી અને દંડ અને વસુલાત તેમજ COVID-19 અન્વયે જાહેર સ્થળે થૂંકવા પર પ્રતિબંધ અંગે સામાજિક જન જાગૃતિ માટે કામગીરી કરવામાં આવી.
જે અંતર્ગત COTPA-2003 ની કલમ-૬ (અ અને બ) હેઠળ *કુલ ૪૭ કેસો કરી રૂ.૪૩૦૦/- નો દંડ* કરવામાં આવેલ.
તમાકુ વિરોધી અભિયાનને સફળ બનાવવા ટીમ સાવરકુંડલાના યુએચઓ ડો.એમ.આર.પારઘી, ટીએચએસ વી.વી. બોરીસાગર તથા કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જાગૃતભાઈ આર.ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.
જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ – અમરેલી.
,રીપોર્ટ.અરમાન ધાનાણી સાવરકુંડલા


