Uncategorized

આપનું નામ મતદારયાદીમાં છે કે કેમ? મતદારયાદીમાં નામ નોંધાવવા તંત્રની અપીલ*

*આપનું નામ મતદારયાદીમાં છે કે કેમ? મતદારયાદીમાં નામ નોંધાવવા તંત્રની અપીલ*

અમરેલી, તા: ૧૭ જુલાઈ ૨૦૨૦

અમરેલી જિલ્લામાં ૯૪ વિધાનસભા મતવિભાગની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી નજીકના દિવસોમાં યોજવાની સંભાવના છે. જેના અનુસંધાને હાલમાં મતદારયાદીની સતત સુધારણા ચાલુ હોવાથી તા.૧/૧/૨૦૨૦ ની લાયકાતની તારીખે જે વ્યકિતના ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે અને તેનું નામ મતદાર યાદીમાં નોંધવાનું હજુ બાકી હોય તેવા નાગરિકોને પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરવા તથા અવસાન/સ્થળાંતર/લગ્ન વગેરે જેવા કિસ્સામાં નામ કમી કરવા તથા હાલની મતદાર યાદીમાં મતદારના નામમાં કોઈ ભૂલ હોય તો તેવા મતદારોએ નામ/વિગતમાં સુધારો કરાવી લેવો. મતદારયાદીમાં નામ ઉમેરવા-સુધારવા કે કમી કરવા માટે ૯૪ ધારી વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, ધારી તેમજ મામલતદાર કચેરી ધારીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. મતદારયાદીમાં કોઈ વ્યકિતનું નામ છે કે કેમ ? તે જોવા માટે www.nvsp.in ઉપર, VOTER HELPLINE એપ્લિકેશન મારફત અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કર્યેથી જરૂરી માહિતી મળી શકશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *