Uncategorized

અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ માટેનાં પાસની મુદત લંબાવાઇ*

*અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ માટેનાં પાસની મુદત લંબાવાઇ*

*પાસ અને પરમીશન ૩ મે સુધી માન્ય રહેશે*

અમરેલી, તા.૧૪

કોરોનાને પગલે કરાયેલા લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે સબંધીત ઉત્પાદન એકમો, વિક્રેતાઓ તથા આવશ્યક એકમો સંલગ્ન પેઢીઓ, સંસ્થાઓને કર્મચારીઓને ૧૪/૪/૨૦૨૦ સુધીની મુદતનાં પાસ અમરેલી જિલ્લા વહિવટી તંત્રની સંલગ્ન ઓથોરીટી તરફથી આપવામાં આવ્યા હતાં. પરંતુ લોકડાઉનની મુદતમાં વધારો થતા આજ પાસ -પરમીશન તા.૩/૫/૨૦૨૦ સુધી માન્ય ગણાશે. ભારત સરકાર દ્વારા કોરોના મહામારી ધ્યાને લઇ જિલ્લા વહિવટી તંત્રે તા. ૧૪/૪/૨૦૨૦ સુધીની મુદતનાં જે પાસ કે પરમીશન ઇશ્યુ કરેલ છે. તે તા.૩/૫/૨૦૨૦સુધી માન્ય ગણાશે અને વધારેલ મુદતનાં પાસ નવેસરથી ઇસ્યુ કરવાનાં રહેશે નહી.જેથી કોઇ પણ પાસ ધારકે તેમના જુના પાસ કે પરમીશનની મુદત પુરી થઇ ગઇ છે એમ સમજી નવા પાસ કે પરમીશન લેવાના નથી.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *