*અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૦૪*
*૯ મૃત્યુ, ૪૯ ડિસ્ચાર્જ અને ૪૬ સારવાર હેઠળ*
અમરેલી, તા: ૬ જુલાઈ ૨૦૨૦
આજે તા. ૬ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા બાબરાના ૫૭ વર્ષીય પુરૂષ, સોમનાથની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા સાવરકુંડલાના ૭૪ વર્ષીય વૃદ્ધ, સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા સાવરકુંડલાના વણોટના ૬૦ વર્ષીય પુરૂષ અને સુરતથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા બગસરાના ૭૫ વર્ષીય વૃદ્ધનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૯ મૃત્યુ, ૪૯ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૪૬ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૧૦૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


